SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ કથાની બીજી ઉપયોગિતા તેમાં આપેલા પંદરમાં સૈકાના સમુદ્રમાર્ગ ઉપરથી થાય છે. કારણ કે કથાને નાયક શ્રીપાલકુમાર ગુજરાતમાં આવેલા ભરૂચ બંદરેથી વહાણમાં બેસીને અનુકમે બરાબર બંદર, રત્નદ્વીપ થઈને કંકણદેશના થાણું બંદરે પહોંચે છે. આ બંદરો પિકી ભરૂચ અને થાણા તો મુંબાઈ ઈલાકામાં જ છે. પરંતુ બબરફલ અને રત્નદીપ બંદરે ક્યાં તે શોધવાની જરૂરિયાત છે. વળી, ગુજરાતના વહાણવટાના ઈતિહાસને ઉપયોગી આ કથાના પાના ૧૦૧ તથા ૧ ૦૨ ઉપર જૂગ, વડસફરી, બેડા, દ્રોણ, સિલ, આવર્ત અને સુરમ્પ જાતિના વહાણને ઉલ્લેખ છે, જે પંદરમા સૈકામાં ગુજરાતમાં બનતાં વહાનાં નામે આપણને પૂરાં પાડે છે. વળી, અઢારમા સૈકાના જ વહાણનાં જુદાં જુદાં સત્તર ચિત્ર પણ “શ્રીપાલરાસ ”ની પ્રતમાંથી આ પુસ્તકમાં પહેલી જ વાર પ્રસિદ્ધ કરવામાં આવેલાં છે. શ્રીસિદ્ધચક્રજીને બૃહયંત્ર બનાવવાની વિધિ અને તેને લગતાં પ્રાચીન જુદા જુદા પ્રાચીન કપડાં પરનાં મારા સંગ્રહમાંથી ત્રણ ચિત્ર, અને અમદાવાદની સામળાની પળના શ્રીપાર્ધચંદ્ર ગચ્છના ઉપાશ્રયના ગ્રંથભંડારમાંની કલ્પસૂત્રની પ્રત ઉપરથી રાજા શ્રેણિક તથા શ્રીપાલકુમારના જનમના સોનેરી ચિત્રો અને વીશ યક્ષો, ચાવીશ યક્ષિણી, નવગ્રહ તથા દશ દિપાલોનાં ચિત્રો પણ આ પુસ્તકમાં છપાવવામાં આવેલાં છે, તે વાંચનારને ઉપયોગી થશે એમ હું માનું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy