SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રીપાત્ર કથા શ્રીગૌતમસ્વામી પણ જલવાળા વરસાદની માફક ગંભીર સ્વરથી ધર્મનું સાચું સ્વરૂપ કહેવા લાગ્યા (જૂઓ ચિત્ર ૪). હે મહાનુભાવ! પૂર્વ પુણ્યના ઉદયથી મળેલ આ મનુષ્યભવ પામીને, તેમજ ઉત્તમ ક્ષેત્ર તથા ઉત્તમ કુલ, સદગુરૂ વગેરેની સામગ્રી મેળવીને પાંચ પ્રકારનું પ્રમાદ છેડીને, ઉત્તમ ધર્મનું આચરણ કરવા માટે તમારે પ્રયત્ન શીલ થવું જોઈએ. જિનેશ્વરદેએ આ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારને કહે છે. તેમાં પણ ભાવ વિનાનું દાન ફલદાયક થતું નથી, ભાવ વિનાનું શીલ પણ નિરર્થક છે; ભાવ વિનાનું તપ પણ કાયકલેશ માત્ર જ કરનારૂં થાય છે. માટે દરેક ધમકયા ભાવ સહિત જ કરવી જોઈએ. ભાવ મનને વશવર્તી છે, અને મન ઉત્તમ પ્રકારના આલંબન વિના વશમાં રાખી શકાતું નથી. માટે મનને વશ કરવા માટે આલંબન વાળું ધ્યાન ધરવું જોઈએ. શાસ્ત્રમાં ઘણા પ્રકારનાં આલંબન બતાવેલાં છે; પરંતુ બધાં આલંબનોમાં ઉત્તમ શ્રીનવપદજીનું ધ્યાન શ્રીજિનેશ્વદેવેએ ફરમાવેલું છેઃ ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, પ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને ૯ તપ-આ નવપદે જાણવાં. ૧ અરિહંત-અઢાર થી રહિત, બાર ગુણેએ કરીને સહિત, કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળા, નવે તની પ્રરૂપણ કરવાવાળા તથા સુર, અસુર અને ઈદ્રોથી પૂજિત, શ્રીઅરિહંત પ્રભુનું નિરંતર ધ્યાન ધરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy