SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આપકમી અને બાપકર્મીને સંવાદ આ મગધ દેશની અંદર ભાર વિપુલ વગેરે પર્વતોથી વીંટાએલ રાજગૃહ નામનું સુંદર નગર આવેલું છે. તે નગરમાં ત્રણે જગતમાં પ્રસિદ્ધ, અને પ્રભુ શ્રીમહાવીરની સેવામાં તત્પર એ શ્રેણિક નામનો રાજા રાજ્ય કરતો હતો. તે રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરેલું છે. આ શ્રેણિક રાજાને નંદા નામની રાણીથી ઉત્પન્ન થએલો, ગુણવાન અને ચારે પ્રકારની બુદ્ધિના ભંડારરૂપ અભયકુમાર નામને પુત્ર છે. વળી બીજી ચેડા રાજાની પુત્રી ચેલણા નામની રાણીથી ઉત્પન્ન થએલા અશચંદ્ર (કેણિક), હલ અને વિહલ નામના ત્રણ પુત્રો છે. વળી તેને ધારિણી વગેરે રાણીએથી ઉત્પન્ન થએલા મેઘકુમાર વગેરે ઘણા રાજપુત્ર છે. તે શ્રેણિક રાજા અભયકુમારની બુદ્ધિને લીધે ત્રણે ભુવનમાં પ્રસિદ્ધ એવું રાજ્ય અને ધર્મ પાળે છે. આ વખતે ગામેગામ વિહાર કરતા પ્રભુ શ્રી મહાવીર રાજગૃહ નગરની નજીકના ગામમાં આવી સમવસર્યા (જૂઓ ચિત્ર ૩) પ્રભુએ પોતાના મહા ગુણવાન અને લબ્ધિસંપન્ન એવા પ્રથમ શિષ્ય શ્રીગૌતમસ્વામી ગણધરને રાજગૃહીના લોકેને ઉપદેશ આપવા મોકલ્યા. તેઓ પણ પ્રભુની આજ્ઞા મલવાથી રાજગૃહ નગરના ઉદ્યાનમાં આવી સમેસર્યા. શ્રીગૌતમસ્વામીનું આગમન સાંભળીને નગરના લોકો પોતાની ઋદ્ધિ અને પરિવાર સહિત ઉદ્યાનમાં આવ્યા અને ત્રણ પ્રદક્ષિણા દઈને, પાંચ પ્રકારના અભિગમ સાચવીને, શ્રીગૌતમસ્વામીના ચરણને નમીને પિતપતાને સ્થાને બેઠા. જગત માત્રનું કલ્યાણ કરવાની ભાવનાવાળા ગણધરદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy