SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ રાધાવેધની સાધના ૧૭૭ પિકીને ચાર ચકો યંત્રના ભેગથી જમણી બાજુ ફરે અને ચાર ચક્રો ડાબી બાજુ ફરે તે રીતે ગોઠવવાં – તે ચકના આરાના છિદ્રની ઊપર રાધા નામની લાકડાની બનાવેલી પુતળી સ્થાપન કરવી અને તે થાંભલાની નીચે તેલની ભરેલી એક કઢાઈ રાખવી, તે કઢાઈમાં પડતું ઉપરની રાધા નામની પૂતળીનું પ્રતિબિંબ લક્ષમાં રાખીને, પિતાનું મુખ નીચે રાખીને ઉંચે બાણ એવી યુક્તિથી નાંખવું જોઈએ કે ઊપર રહેલ પૂતળીની ડાબી આંખને વીંધી નાખે, તે સુજાણ પુરુષ રાધાવેધ સાધનાર કહેવાય. આ રાધાવેધ કઈ ધનુર્વિદ્યાને જાણનાર કોઈ વિરલ અને ઉત્તમ પુરુષ જ કરી શકે છે.” લેકમાં પણ કહેવાય છે કેઃ “ગુણોમાં વિનય ગુણ ઉત્તમ છે, રસમાં શાંતરસ શ્રેષ્ઠ છે; કિયામાં ભાવ મુખ્ય છે, અને નાટકમાં કવિતા મુખ્ય છે, તથા સર્વવિદ્યામાં રાધાવેધ ઉત્તમોત્તમ છે.” મારા મુખેથી રાધાવેધ સંબંધી બીના સાંભળીને “હે. રાજ! આપની આ પુત્રી જયસુંદરીએ ઘણા લોકેની હાજરીમાં એવી પ્રતિજ્ઞા કરી છે કે જે કઈ પુરુષ મારી નજર સમક્ષ રાધાવેધ સાધશે, તે જ પુરુષમાં શ્રેષ્ઠ નરને હું વરીશ.” આવી રીતની પ્રતિજ્ઞાથી એમ જણાય છે કે, આ ધન્ય જીવનવાળી અને પુણ્યશાળી રાજકુમારી કઈ પણ ઉત્તમ પુરુષની પત્ની થશે. તેથી “હે નરેશ્વર ! આ બધી ચિંતા મૂકી દઈને, મેટો મંડપ તૈયાર કરાવી તેમાં રાધાવેધની રચના કરવા સંબંધી ગોઠવણ કરે કે જેથી તેણીના લાયક વરની પ્રાપ્તિ થશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy