SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ શ્રી શ્રીપાલ કથા સંદ પતિ કુબડાને પ્રેમ દષ્ટિથી જુએ છે. તે વખતે થાંભલા ઊપર રહેલી ઉત્તમ એવી સુવર્ણ પુતળીના મુખમાં હારને અધિષ્ઠાયક દેવ દાખલ થઈને આ પ્રમાણે બેલવા લાગે કે “હે વત્સ ! જે તે ધન્ય અને ચતુર છે, અને ગુણ તથા અવગુણને જાણનારી છે તે આ કુજ રૂપધારી ઉત્તમ પુરુષને વર!” તે સાંભળીને કુમારીકા તરત જ તે કુજરૂપધારી શ્રીપાલકુમારને વરમાળા પહેરાવે છે. કુમાર જાણી જોઈને પિતાનું વિશેષ કુરૂપ દેખાડવા લાગ્યો. તે દરમ્યાન સ્વયંવર મંડપમાં ભેગા થએલા બધા રાજાએ, તે કુજરૂપધારી શ્રીપાલને આક્ષેપ કરી કહેવા લાગ્યા કે “હે કુન્જ! આ વરમાળા છેડી દે! નહિતર અમે તને મારી નાખીશું. આ ભેળી રાજકુમારી ગુણ તથા અવગુણને સમજી શકતી નથી, તેથી તેને તણે વરમાળા પહેરાવી છે, પરંતુ આવું અકાર્ય અમે સહન કરી લઈએ તેમ નથી અને કુજને આવું કન્યારત્ન નહિ લઈ જવા દઈએ. માટે તું આ વરમાળા તજી દે! નહિતર અમારી આ તલવાર વરમાળાવાળા તારા આ કંઠરૂપી નાલને છેદી નાખશે.” કુજરૂપધારી શ્રીપાલ હસીને બોલ્યો કે “જ્યારે દુર્ભાગ્યથી દગ્ધ શરીરવાળા એવા તમને, જે આ કુમારી પિતાના મનથી ના વરી, તે તમે તમારા ભાગ્યના ઊપર શા માટે ગુસ્સે થતા નથી? વળી, તમોએ પરસ્ત્રીના અભિલાષરૂપી પાપ કર્યું છે, તે પાપથી શુદ્ધ કરવા માટે આ મારી તલવારની ધારરૂપી તીર્થ સમર્થ છે.” આ પ્રમાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy