SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યની પ્રબળતા ૧૨૭ ડિને કહે છે કેઃ “હે રાજન! જે આ તમારી પાસે બેઠા છે તે જ પિતે શ્રીપાલ રાજા છે ” તે જાણીને રાજાએ હર્ષપૂર્વક મુનિમહારાજને વિનંતી કરી કેઃ “હે ભગવાન્ ! અમારી પાસે તેમનાં બધાં ચરિત્રનું વર્ણન કરે.” પછી તે ચારણમુનિએ શરૂઆતથી માંડીને આ દેરાસરના કમાડ ખોલ્યાં ત્યાં સુધીનું તેમનું ચરિત્ર કહી સંભલાવ્યું. વળી, કહ્યું કે હજુ પણ આ કુમાર અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કરીને, પોતાના પિતાના રાજ્યપર બેસીને; રાજાઓને પણ રાજા થશે. ત્યાં પણ શ્રી સિદ્ધચકજીની આરાધના કરીને તે સ્વ જશે; અને અનુક્રમે મેક્ષસુખ પણ પામશે. વળી, આ પુણ્યશાળી! નવપદજીના પ્રભાવથી મહાપ્રભાવિક, મોટા યશવાળે, પુણ્યશાળી તથા મહાભાગ્યવાન થઈને ધન્ય જીવનવાળે થએલ છે. જે કઈ મહાપાપી! આ શ્રીપાલકુમારનું કાંઈપણ ખરાબ કરવા પ્રયત્ન કરશે, તે ખરેખર ! તે જ વખતે તેનું ફલ પામશે. વળી, આ સિદ્ધચકજીના નવે પદોના પ્રભાવે, આ શ્રીપાલરાજાને આવનારી આપદાઓ પણ મોટી સંપત્તિ આપનારી થશે. આ પ્રમાણે કહીને, તે ચારણમુનિ પાછા આકાશમાગે ચાલ્યા ગયા. આ પ્રમાણેનું વૃત્તાંત સાંભળીને રાજા વગેરે સર્વ લોકે આનંદિત થયા. તે જ વખતે રાજાએ પિતાને આનંદ વ્યક્ત કરી, કુંવરના કપાળમાં તિલક કરીને ચેખાઓથી વધાવી શ્રીફળ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy