________________
પુણ્યની પ્રબલતા
૧૨૩:
વાળા ! હે વિકસ્વર કમલ જેવી આંખોવાળા ! હું આપને. નમસ્કાર કરું છું.
હે ઉત્તમ કલ્યાણ કરવાળા! હે તપાવેલા સોનાના કલશ સરખા આકારવાલા કંઠમાં સ્થાપેલા મનહર કુંતલ રૂપી શ્યામ કમલથી શોભિત થએલા એવા ! હું આપને નમસ્કાર કરું છું.
“હે આદીશ્વર! હે ગીશ્વરોનાં ધ્યાનને પ્રાપ્ત થએલા લાખોગમે મનેથી લક્ષિત થએલા ! હે સંસારરૂપી કુવામાં પડેલા પ્રાણીઓને તારનાર એવા જિનેશ્વર! હું આપને નમસ્કાર કરું છું.
હે શત્રુંજયતીર્થની રોભારૂપ ! હે દુઃખને નાશ કરનાર હે ખેચશ્વરોથી નમન કરાએલા ચરણોવાલા! સર્વસિદ્ધિઓને આપવાવાળા એવા હે જિનનાયક! હું આપને નમસ્કાર કરું છું.
“હે દેવા હું આપને નમસ્કાર કરું છું! હું આપને નમસ્કાર કરું છું. હું આપને નમસ્કાર કરું છું! હું આપને જ નમસ્કાર કરું છું !
પ્રણામ કરી રહેલા એવા દેવોના રત્નોના મુકુટની કાંતિથી રંગાએલા છે ચરણે જેઓના એવા હે પ્રભુ! હું આપને નમસ્કાર કરું છું.”
રાજા અને રાજકુંવરી શ્રીપાલે કરેલી આ પ્રભુ સ્તુતિ સાંભળીને, આનંદથી રેમાંચિત થએલા શરીરવાળા થયા. અને જાણે અમૃતથી સિંચન કરાયા ન હોય તેવા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org