________________
૭૨
કથામ જરી-ર દિવસે કોબેરી નગરીએ પહેોંચે. ત્યાં સરેશવરની પાળ ઉપર એસીને વનફળ ખાઈ ને પાણી પીધું. એક ક્ષણ બેઠા, એટલામાં વેણુ, વીણા, મૃદંગ, અલ્લરી વગેરેનો અવાજ સાંભળીને તે બાજુ ગયા. ત્યાં આગળ અનેક માણસેાથી પિરવરેલા સનત્કુમારને મહેન્દ્રે જોયા. તે વખતે આશ્ચર્ય પામીને મહેન્દ્રે કુમારને નમસ્કાર કર્યાં. અન્ને જણા ભેટી પડ્યા અને કુશલક્ષેમ પૂછ્યા.
tr
પછી કુમારે પોતાની પત્નિને બધા વૃત્તાંત કહેવા માટે ઇસારા કર્યાં. તેણીએ મહેન્દ્રને કહ્યું કે “ હે સત્પુરુષ ! તમારા મિત્રનું ઘેાડાએ વનમાંથી અપહરણ કર્યું, પછી જ્યારે તેમને લગામ ઢીલી મૂકી કે ઘેાડા ઊભા રહ્યો અને તત્કાલ મરણ પામ્યા; અને કુમાર બેભાન થઇ વૃક્ષની નીચે પડચા હતા. તેમને તે વનના અધિષ્ઠાયક દેવતાએ જલ છાંટયું. કુમાર સાવધાન થઈ વનદેવતા પ્રત્યે પૂછવા લાગ્યા કે તમે કોણ છે ? ત્યારે તેણે કહ્યું કે હું આ વનનો અધિષ્ઠાયક દેવ છું, ક્ષીર સમુદ્રના પાણીથી મેં તને સાવધાન કર્યાં. તે વખતે કુમારે કહ્યું કે · હે દેવ ! મને માનસરોવર દેખાડો, તે હું ત્યાં જઇ સ્નાન વગેરે કરૂં કે જેથી હું થાક મુક્ત થાઉં. ’ દેવતા કુમારને ત્યાં લઈ ગયા. પછી કુમારે સ્નાન કર્યું અને પાણી પીધું એટલે પાણીની તરસ છીપી અને થાક ઉતરી ગયે.
6
66
એવામાં પૂર્વજનમના વૈરી યક્ષે કુમારને દીઠા. ચિરકાલ પર્યંત તેની સાથે યુદ્ધ કરીને કુમારે તેને જીતી લીધા. બીજા દેવતાઓએ આનંદિત થઈને કુમાર ઉપર ફૂલની વૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org