________________
૭o
કથામંજરી-૨ લઈ જઈને રાણીનું મડદું દેખાડયું. તે જોઈને રાજાના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને વિચારવા લાગ્યું કે રાણીનું શરીર અત્યંત સુગંધમય હતું, તે દુર્ગધમય થઈ ગયું. વળી તેણીનું મુખકમલ ચંદ્રમા જેવું હતું, તે શેષાઈને જોઈ ન શકાય તેવું થઈ ગયું. નેત્ર, બાહુ, ગંડસ્થલ વગેરે જે પૂર્વે સુંદર દેખાતાં હતાં તે બેડોળ થઈ ગયાં. આ પ્રમાણે અનિત્ય ભાવના ભાવતાં અગ્નિસંસ્કાર કરીને વૈરાગ્ય ઉપન્ન થવાથી દીક્ષા લઈ ઉગ્ર તપસ્યા કરીને ત્રીજા દેવલોકે દેવતા થયા.
ત્યાંથી ચ્ચવીને રત્નપુર નગરમાં જિનધર્મા નામનો શેઠ થ. ગયા ભવમાં જે નાગદત્ત શેઠને જીવ હતું, તે એક બ્રાહ્મણને ત્યાં ઉત્પન્ન થયો. તેનું નામ અગ્નિશર્મા પાડવામાં આવ્યું. તે વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં સંસારનો ત્યાગ કરીને ત્રિદંડી થયું. તે બે બે માસની તપસ્યા કરીને પારણું કરતો હતો. તે અનેક દેશો ફરીને શિષ્યના પરિવાર સહિત ફરતો ફરતો પાછે રત્નપુર નગરે આવ્યો. રાજાએ તેને આગ્રહપૂર્વક પારણા માટે આમંત્રણ આપ્યું. તે વખતે પૂર્વજનમના વેરના લીધે તાપસે કહ્યું કે જે જિનધર્મા શેઠ પેતાની પીઠ ઉપર જોજન કરાવે તે હું પારણું કરું, એવી મારી ઇચ્છા છે.
રાજાએ તે વાત કબૂલ રાખી. જિનધર્મી શેઠને તેડાવી તેને ઉંધે સૂવાડ્યો. તેના પર તાપસ ચઢી બેઠે. પારણું માટે તાંબાનું વાસણ ખીરથી ભરી મંગાવ્યું. તે શેઠની પીડ પર રાખીને, તાપસ જમવા બેઠે. પણ ખીર ગરમ હોવાથી શેઠના વાંસામાં મહાવેદના થવા લાગી. તે વખતે શેઠ મનમાં વિચાર કરવા લાગ્યો કે ગયા ભવમાં મેં આ તાપસને દુઃખ ઉપજાવ્યું હશે, તેથી એ મને આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org