________________
વીરસેન તથા અમસેનની કથા
૫
યાત્રા કરવાની બાધા લીધેલી છે, પણ ત્યાં જઈ શકાતું નહિ હોવાથી ખાધા મૂકાતી નથી. કુમારે તે વાત સાચી માની લઈને અક્કાને સાથે લઇ ચાખડી પહેરી યક્ષના મંદિરે જઇ દરવાજા આગળ ચાખડી ઉતારીને મંદિરમાં પ્રવેશ કર્યાં. કુમારે જેવા મંદિરમાં પ્રવેશ કર્યાં કે તરતજ ચાખડી ઉપાડીને અક્કા પેાતાના ઘેર જતી રહી. કુમાર મંદિરની બહાર આવી જૂએ છે, તેા ચાખડી અને અક્કા બંનેને દીઠા નહિ.
આ બધું કારસ્તાન અક્કાનું જાણી તે ઝંખવાણા પડી ગયેા. અધે ઠેકાણે અાની તપાસ કરવા છતાં પણ તેણીના પત્તો લાગ્યા નહિ. ચાખડી વગર કુમાર બેટ ઉપર જ અટકી પડયો. એવામાં એક વિદ્યાધર ત્યાં આવ્યેા. તેણે કુમારને
પૂછ્યુ કે તમે કયાંથી આવ્યા છે ? કુમારે પેાતાના સર્વે વૃત્તાંત કહ્યો. વિદ્યાધર ખેલ્યા કે તું ચિંતા ન કરીશ, હું તને તારા સ્થાનકે પહેોંચાડી દઇશ. જ્યાં સુધી હું યક્ષના દર્શન કરીને પાછો આવું નહિ, ત્યાં સુધી તું અહીંયા રહેજે, અને લાડવા વગેરે આપું છું, તે તને ભૂખ લાગે ત્યારે ખાજે. પરંતુ પેલા ઝાડની નીચે જઈશ નહિ. એમ કહીને વિદ્યાધર યક્ષના મંદિરમાં ગયા. પાછળથી કુમારે તે વૃક્ષની નીચે જઇ, તે વૃક્ષનું ફૂલ તાડીને સૂછ્યું, એટલે તરત જ તે ગધેડા થઈ ગયા.
પંદર દિવસ પછી પેલા વિદ્યાધર પાછે આબ્યા, તેણે કુમારને ગધેડો બની ગએલા જોયા. પછી બીજા વૃક્ષનું ફૂલ લઇને સુંઘાડીને મૂળ રૂપમાં કુમારને વિદ્યાધરે લાવી દીધા. કુમારે તે બંને વૃક્ષનાં ફૂલ લઇને પોતાની પાસે રાખ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org