________________
૫૪.
થામંજરી-૨ બત્રીશ પુત્રો વચ્ચે આવી ઊભા રહ્યા. તેની સાથે યુદ્ધ કરતાં સુધીમાં શ્રેણિક રાજા ચલણને લઈને સહિસલામત ચેડા રાજાની હદ વટાવી ગયે. ચેડા રાજાએ સુસાના બત્રીશે પુત્રોને મારી નાખ્યા. સુચેષ્ટા વિચારવા લાગી કે મેં ધાર્યું કાંઈ અને થયું કાંઈ એમ ચિતવતાં વૈરાગ્ય આવવાથી પ્રભુ શ્રીવીર પાસે દીક્ષા લઈને નિરતિચાર ચારિત્રને પાળવા લાગી.
એ વખતે એક પેઢાલ નામને વિદ્યાધર કે જે ઘણી જ વિદ્યાઓ જાણતા હતા, તે વૃદ્ધ થઈ જવાથી પિતાની વિદ્યાઓ આપવાને ચગ્ય પાત્રની શોધ કરતો હતો. તેને વિચાર એ હતો કે કઈ સુશીલ ચારિત્રવાન બ્રહ્મચારી સ્ત્રી હોય, અને તેના ઉદરથી ઉત્પન્ન થએલો જે પુત્ર હોય તેને વિદ્યાઓ આપવી. આ વિચાર કરીને એવી સ્ત્રીને શેધવા માટે વિદ્યાધર ફરતો હતો. તે વખતે તેની નજરે દીક્ષિત એવી સુચેષ્ટા સાથ્વી પડી, કે જે બાલ બ્રહ્મચારિણી અને કામરહિત હતી. પેઢાલે પોતાની વિદ્યાના બલથી અંધકાર કરીને સુષ્ઠાના જાણવામાં આવે નહિ તેવી રીતે તેણીની નિમાં વીર્ય પ્રક્ષેપ્યું. ધીમે ધીમે તેને ગર્ભના ચિન્હો દેખાવા લાગ્યાં. પ્રભુ મહાવીરે તેણીને નિર્વિકારી કહેવાથી એક શ્રાવકે તેણુને પિતાના ઘરમાં રાખી. પૂર્ણ માસે તેણીએ એક પુત્રને જનમ આપે. તેનું સાત્યકી નામ પાડવામાં આવ્યું. તે સાધ્વીઓના ઉપાશ્રયે મોટો થયે ત્યાં સાધ્વીઓ જે જે ભણતી, તે સાંભળતાં સાંભળતાં સર્વ શાસ્ત્રો તેને યાદ રહી ગયાં.
એક વખતે એક કાલસંવર નામનો વિદ્યાધર અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org