________________
સાત્યકીની કથા
૫3 પહોંચાડી દીધું. ત્યાં રાજમહેલની પાસે જ એક સુગંધી વસ્તુઓ વેચનારની દુકાન શરૂ કરી. આ દુકાને જ્યારે સુષ્ઠાની દાસી સુગંધી વસ્તુઓ ખરીદવા આવે ત્યારે, તેને મેંઘી વસ્તુઓ પણ ઓછા ભાવે આપવા લાગ્યો. વળી તે દાસીને દુકાનમાં રાખેલું શ્રેણિક રાજાનું રૂપ પણ દેખાડતો હતો. દાસીએ સુચેષ્ટા પાસે દુકાનની અંદર રાખેલા પટ્ટમાંના ચિત્રના રૂપની વાત કરી, તે રૂપ જોવાની સુચેષ્ટાએ માગણી કરતાં સુગંધી વસ્તુઓની દુકાન લઈ બેઠેલા અભયકુમારે તે રૂપવાળો પટ્ટ દાસીને આપે. તે રૂપ જોતાં જ સુચેષ્ટા તે રૂપ કે જે શ્રેણિક રાજાનું હતું તેના ઉપર મેહ પામી.
તે વાત અભયકુમારે જાણીને રાજમહેલથી વિશાલા નગરીના બહારના ભાગ સુધીની એક સુરંગ ખોદાવી. સુચેષ્ટા સાથે નક્કી કરેલા દિવસે શ્રેણિક રાજા તે સુરંગના રસ્તે વિશાલા નગરીમાં આવ્યો. સુચેષ્ટા પણ સુરંગના દ્વાર આગળ આવી શ્રેણિક સાથે જવા તૈયાર થઈ ગઈ. પરંતુ સુચેષ્ટા જેવી પિતાના આભરણે લેવા મહેલમાં પાછી ગઈ, તેવી જ ચેલણ સુચેષ્ટાને શોધતી તે સુરંગમાં આવી રાજા શ્રેણિક પાસે ઊભી રહી. શ્રેણિક તેને જ સુજયેષ્ટા સમજી તૈયાર રાખેલા રથમાં બેસાડીને ચાલતો થયો.
પાછળથી સુચેષ્ટા પણ આભરણોને કરંડીઓ લઈને સુરંગમાં આવી, રાજા શ્રેણિકને જોવા લાગી. પરંતુ ચેલણને તથા શ્રેણિકને નહિ જેવાથી સુચેષ્ટા બૂમો પાડવા લાગી. તે બૂમો ચેડા રાજાના સાંભળવામાં આવી. તરત જ તે શ્રેણિકની પાછળ દેડયો. શ્રેણિક રાજાએ તેને પિતાની પાછળ આવતો દીઠે, તે વખતે ચેડા રાજાને રોકવા સુલતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org