________________
સાત્યકીની સ્થા
Gરતક્ષેત્રમાં વિશાલા નગરીમાં ચેડા રાજા રાજ્ય કરતું હતું, તે જૈનધર્મી હતું. તેને સાત પુત્રીઓ હતી. તેમાં સુચેષ્ટા અને ચિલણા નામની બે પુત્રીઓને એક બીજા પ્રત્યે બહુ સ્નેહ હતો. તે બંને બેને શયન, ભજન, દાન, સ્નાન વગેરે સર્વ કાર્યો સાથે જ કરતી હતી. તે નગરીમાં કઈ પરિવાજિકો આવીને પોતાના શૌચમૂલ ધર્મના બહુ જ ગુણગાન કરતી ફરતી હતી. એક વખત તે પરિબ્રાજિકા રાજાના અનેઉરમાં ગઈ. ત્યાં સુચેષ્ટાએ તેની સાથે વાદ કરીને તેને જીતી લઈને ધૂત્કાર કરીને કહાડી મૂકી. તે વખતે તે પરિત્રાજિકાએ એ નિશ્ચય કર્યો કે આ બાલિકાને હું મેટા સંકટમાં નાખું તો મારા અપમાનનું વેર વળી શકે. આ પ્રમાણેને વિચાર કરીને સુજયેષ્ટાનું આબેહૂબ રૂપ એક પાટીયા ઉપર ચીતરાવીને રાજગૃહીના રાજા શ્રેણિકને બતાવ્યું. તે ચિત્ર જોતાં જ મોહ પામીને ચેડા રાજા પાસે દૂત મોકલાવીને શ્રેણિકે સુચેષ્ટાની માગણી કરી. પરંતુ ચેડા રાજાએ તે માગણીને સ્વીકાર કર્યો નહિ.
પછી શ્રેણિકના મંત્રી અભયકુમારે શ્રેણિક રાજાનું આબેહૂબ રૂપ એક પટ્ટ ઉપર ચીતરાવીને તે વિશાલા નગરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org