SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ થામ’જરી-૨ દીક્ષા લીધા પછી ગજસુકુમાર મુનિએ શ્રીનેમિનાથ પ્રભુને પૂછ્યું કે મને જલદી મેાક્ષ પ્રાપ્તિ થાય એવા ઉપાય અતાવા પ્રભુએ કહ્યું કે તું સ્મશાનમાં કાઉસગ્ગ કર, અને તને જે જે ઉપસર્ગો થાય તે તે તું ક્ષમાથી ભાગવ. ગજસુકુમાર મુનિ પ્રભુની આજ્ઞા લઈ ને સ્મશાનમાં જઈને કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. તે વખતે મહારગામથી આવતા સેામિલ બ્રાહ્મણે તેએને દેખ્યા. તેમને દેખીને તેને ખૂબ ક્રોધ ઉત્પન્ન થયા, કે એને મારી પુત્રીને પરણીને દુઃખી કરી, તે હું પણ એને દુઃખી કરૂં. એમ વિચારી રીસથી મસ્તક ઉપર માટીની પાળ બાંધી, અંદર ખેરના ધગધગતા અંગારા ભર્યા. ૩૬ ગજસુકુમાર મુનિએ વિચાર્યું કે આ તે માટે ઉપકાર કરનાર છે. એના ઉપસર્ગથી મારા કર્મોનો ક્ષય થશે. એમ સમતાપૂર્વક ઉપસર્ગ સહન કરીને, ઘનઘાતીકમઁ ખપાવીને ગજસુકુમાર મુનિ મેક્ષે ગયા. સવારમાં શ્રીકૃષ્ણે પ્રભુને પૂછ્યું કે મારા નાનો ભાઈ કયાં છે? પ્રભુએ સર્વ વૃત્તાંત કહ્યો. શ્રીકૃષ્ણે પૂછ્યું કે તેમને ઉપસર્ગ કરનાર કોણ છે ? પ્રભુએ કહ્યું કે હમણાં રસ્તામાં તમને સામે મળશે અને તમને દેખતાં જ તેનું હૃદય ફાટી જશે અને મૃત્યુ પામશે. શ્રીકૃષ્ણ પ્રભુને વંદન કરીને પાછા વળ્યા અને રસ્તામાં પ્રભુના કહ્યા પ્રમાણે સેામિલ બ્રાહ્મણને જોતાં જ તેનું હૃદય ફાટી ગયું અને તે મરણ પામીને મુનિ હત્યાના દોષથી નરકે ગયા. આ રીતે ક્રોધને જીતવાથી ગજસુકુમાર મુનિ સેક્ષે ગયા અને સામિલ બ્રાહ્મણ નરકે ગયા. સાટે ક્રોધના ત્યાગ કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy