________________
૩૦
લગ્ન કરવાની છે. પિતાએ પુત્રીના નાગદત્તના પિતાને મલીને કહ્યું કે માટે બંનેનું સગપણ કરીએ.
કથામંજરી–૨
મનેભાવ જાણી લઈ ને બંનેની જોડી સરખી છે,
નાગદત્તના પિતાએ તે વાતના સ્વીકાર પણ કર્યા. પરંતુ નાગઢન્ને પિતાને કહ્યું કેઃ- હે પિતાજી! મારૂં સગપણ કરશે નહિ, કારણ કે હું તે। દીક્ષા લેવાના છું. ” કન્યાને પણ નાગદત્તના વૈરાગ્યની વાતની ખબર પડી ગઈ, પરંતુ તે તે મન અને વચનથી નાગદત્તને વરી ચૂકેલી હતી.
નાગવસુને રસ્તામાં જતાં એક વખત નગરના કોટવાલે જોઈ. કેટવાલે તેણીના પિતા પાસે નાગવસુના સગપણની માગણી કરી. તેણીના પિતાએ કહ્યું કે તેણી નાગદત્ત ઉપર રાગવાળી હોવાથી તેણીનું સગપણ નાગદત્ત સાથે કરવામાં આવેલું છે.
આ વાત સાંભળી તે કાટવાલ, નાગદત્તનાં છિદ્ર શેાધવા લાગ્યા. મેાટા ભાગે પાપી પુરુષા, પાતાના સ્વાર્થ માટે સજજનાનાં છિદ્ર શાધતાં જ રહે છે. એક વખત નગરના રાજાનું રત્નજડિત કુંડલ ગુમ થયું, તે વખતે કેટવાલે નાગદત્તને ઉપાશ્રયમાં પૌષધ કરેલી અવસ્થામાં જોયા; અને રસ્તામાં પડેલું રાજાનું કુંડલ પણ દીઠું. તે કુંડલ ઉપાડી લઈને પોતાની પાસે રાખ્યું, અને કપટ કરીને રાતના વખતે કેટવાલે પૌષધમાં રહેલા નાગદત્તના કાનમાં ઘાલી દીધું.
સવારમાં નાગદત્તને પકડીને રાજા આગળ હાજર કરવામાં આવ્યેા. તેના ઉપર કુંડલની ચારીનું તહેામત મૂકવામાં આવ્યું. રાજાએ તરત જ નાગદત્તને મારી નાખવાના હુકમ ફરમાવ્યેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org