________________
૨૮
કથામંજરી–૨ એક વખતે પર્વતકને મલવા માટે નારદ બહારગામથી ત્યાં આવ્યું. બંને મિત્રો એક બીજાની સાથે બેઠા હતા, તે વખતે શિષ્યને ભણાવતાં પર્વતકે “અજ” શબ્દનો અર્થ
છાગ” નો હેમ કરે એમ કર્યો. તે વખતે નારદ બોલ્યો કે ગુરુએ આપણને ભણાવતાં “અજ” શબ્દનો અર્થ “ત્રણ વર્ષની જુની ડાંગર” એ કહ્યું છે, તે તું “અજ” શબ્દને અર્થ “છાગ” કેમ કરે છે? પર્વતકે તે અર્થની ના કહી.
બંને વચ્ચે વિવાદ વધી જતાં જે પેટે ઠરે, તેની જીભ છેદી નાખવી, એવું નકકી કરવામાં આવ્યું. તે વખતે પર્વતકની માતાએ જાણ્યું કે નારદ કહે છે તે વાત સાચી છે, માટે હું વસુરાજાની પાસે જઈ પુત્રની ભિક્ષા માગી આવું. કારણ કે બંને જણા સાક્ષી માટે વસુરાજાની પાસે જવાના છે.
આ પ્રમાણે વિચાર કરીને પર્વતકની માતા વસુરાજા પાસે ગઈ અને પર્વતકને બચાવવા બહુ આજીજી કરી. નારદ અને પર્વતક પણ અનુકમે વાદ કરતાં કરતાં વસુરાજા પાસે અર્થ પૂછવા આવ્યા. રાજાએ પણ મિશ્ર વચન બેલીને કહ્યું કે “અજ” શબ્દનો અર્થ “છાગ એટલે બેકડો” પણ થાય છે, અને પાઠાંતરે “જુની ડાંગર” પણ થાય છે. ' આ અર્થ સાંભળતાં જ તાત્કાલિક દેવતાએ લાત મારીને વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પાડી નાખીને મારી નાખે. વસુરાજા મરીને નરકે ગયે. પર્વતક પણ આયુષ્ય પૂર્ણ થવાથી મરીને નરકે ગયો. નારદ શીલ પાળી સત્ય વચનના પ્રભાવથી મરીને દેવલોકે ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org