________________
વસુ રાજાની કથા
૨૭
અનાવીને ત્રણે શિષ્યને આપ્યા, અને કહ્યું કે જ્યાં કાઈ દેખે નહિ, ત્યાં જઈ એને મારી નાંખજો.
વસુ અને પર્વતક એ બે જણ તો જંગલમાં કાઈ એકાંત સ્થળે કુકડાના નાશ કરીને આવ્યા; પરંતુ નારદે કોઈ પણ સ્થળ એવું જોયું નહિ કે જ્યાં કાઈ પણ દેખતું ન હેાય. તેથી નારદ કુકડો પાછા લાવ્યેા. ઉપાધ્યાયે નારદને પૂછ્યું કેઃ આ કુકડા પાછો કેમ લાબ્યા ?’ તે નારદ આલ્યા કે :- દેવ, દાનવ તથા જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં દેખી શકતા હાય, અને હું પણુ દેખી શકતા હોઉં ત્યાં તમારી આજ્ઞાને ભંગ કરીને હું શી રીતે આ કુકડાને નાશ કરી શકું.'
<
આ સાંભળી ઉપાધ્યાયે ચિંતવ્યું કે નારદ વગે જનાર છે અને વસુ તથા પર્વતક બંને જણા નરકગામી છે. ઉપાધ્યાય અનુક્રમે આયુષ્ય પૂર્ણ કરીને સ્વર્ગ ગયા. પછી તેમની પાટે પર્વતક બેઠા અને વસુને રાજ્ય મળ્યું. નારદ ભણીને પેાતાના સ્થાને ગયા.
એક વખતે કોઈ શિકારીએ જંગલમાં જઈ કોઈ હરણની ઉપર ખાણ નાખ્યું. પરંતુ ત્યાં જઈને જોયું તે હરણના બદલે સ્ફાકિની શિલા દીડી. તેણે રાજાને આવીને કહ્યું. રાજાએ તરત જ તે શિલા છાનીમાની મંગાવી લીધી. તે શિલાની પીઠિકા બનાવી તેના ઉપર સિંહાસન સ્થાપી, તે સિંહાસન ઉપર બેસવા માંડયું. લેાકેા સર્વ જાણવા લાગ્યા કે વસુ રાજા સત્ય વચનના આધારે અદ્ધર બેસે છે. તેથી આજુબાજુના પ્રદેશના રાજાએ તેની આજ્ઞા માનવા લાગ્યા. જગતમાં વસુ રાજાની સત્યવાદી તરીકે ખ્યાતિ ફેલાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org