________________
દામન્નકની કથા
૮૧
હરિતક્ષેત્રમાં આવેલા ગજપુર નામના નગરમાં સુનંદ નામને એક કુલપુત્ર રહેતું હતું. તે જ નગરમાં એક જિનદાસ નામને શેઠ રહેતો હતે. સુનંદ અને જિનદાસ બંને પરમ મિત્રો હતા.
એક વખતે તે બંને મિત્રે વનમાં ગયા. તે જંગલમાં એક આચાર્ય પધારેલા હતા, તેમની પાસે બંને મિત્રોએ ઉપદેશ સાંભળ્યો. આ ઉપદેશ સાંભળીને સુનંદ ગુરુ મહારાજને કહેવા લાગ્યું કે “હું માંસ નહિ ખાવાની પ્રતિજ્ઞા તે કરું, પરંતુ મારાથી મારે કુલાચાર કેવી રીતે છોડી દેવાય ?”
ગુરુએ કહ્યું કે –“ કુલાચાર કરતાં ધર્માચાર ઉત્તમ છે.” તે સાંભળી સુનંદે માંસ નહિ ભક્ષણ કરવાને નિયમ લીધે. તે જગતના સર્વ આત્માઓને પોતાના આત્મા સમાન માનતે છત સુખે કરીને પિતાના નિયમનું પાલન કરવા લાગે.
એક વખત ભયંકર દુષ્કાળ પડ્યો. સર્વત્ર અનાજ મધું થઈ ગયું. તે વખતે સુનંદની સ્ત્રી કહેવા લાગી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org