________________
શ્રીભરત ચક્રવર્તીની કથા
૮૦
અન્યાયને દૂર કરતા ભરત ચક્રવર્તી અયાખ્યામાં
રાજ્ય કરતા હતા. કેવલજ્ઞાન ઉત્પન્ન થયા પછી શ્રી ઋષભદેવપ્રભુ પેાતાના ચોરાશી ગણધર સહિત એક વખત અચૈાધ્યા નગરીના ઉદ્યાનમાં સમેાસર્યા (જૂએ ચિત્ર. ૬). ઉદ્યાનપાલકે પ્રભુ પધાર્યાની ભરત ચક્રવર્તીને વધામણી આપી. વધામણી આપનારને ભરત મહારાજાએ સાડાબાર ક્રોડનું દાન આપ્યું.
પછી ભરત ચક્રવર્તીએ વિચાર્યું કે આજે પ્રભુ મારા નગરના ઉદ્યાનમાં પધાર્યા છે, તેથી તેઓને તથા તેમની સાથે આવેલા સાધુઓ વગેરેને ભોજન કરાવું. આ પ્રમાણેના વિચાર કરીને પકવાન વગેરેનાં ઘણા ગાડાં ભરીને સમવસરણમાં આવીને પ્રભુને વંદન કરીને વિનંતિ કરી કે-“ પ્રભુ ! આજે આપ તથા આપશ્રીના શિષ્યા મારે ત્યાં ભાજન કરવા પધારે. ’
તે વખતે પ્રભુ ખાલ્યા કે હે ભરત ! સાધુઓને રાજપિંડ લેવો કલ્પે નહિ; વળી આધાકર્મી તેમજ સામે લાવેલા આહાર પણ કલ્પે નહિ. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org