________________
કથામંજરી-૨ આ પ્રમાણે સાંભળીને ભરત પશ્ચાતાપ કરવા લાગ્યા. તે વખતે પ્રભુ બોલ્યા કે-“હે રાજેન્દ્ર તું પશ્ચાતાપ કરીશ નહિ. પ્રથમ પાત્ર વીતરાગ, બીજું પાત્ર સાધુ, ત્રીજું પાત્ર વ્રતધારી શ્રાવક અને ચોથું પાત્ર જૈન દર્શનને માનનાર શ્રાવક છે. તેથી તું વ્રતધારી શ્રાવકની ભક્તિ કર કે જેનાથી તું સંસાર સમુદ્ર સહેલાઈથી તરી જઈશ.”
ભરત ચક્રવર્તી પ્રભુનાં આ પ્રમાણેના વચનો સાંભળીને આનંદિત થયા અને પોતાના સ્થાનકે પાછા આવ્યા. શ્રાવક માત્રને જમવા માટે આમંત્રણ આપ્યું. શ્રાવકો દરરોજ જમવા આવવા લાગ્યા.
તે વખતે લેકે ભેળા હોવાથી, હમેશાં બધા લોકે જમવા આવવા લાગ્યા. તે વખતે રસોઈયાએ ચક્રવર્તીને વિનંતિ કરી કે “મહારાજ બધા લોકો જમવા આવે છે, તેમાંથી કોણે જમાડવા અને કોણે ન જમાડવા તેની સમજણ નથી પડતી.”
પછી રાજાએ પરીક્ષા કરીને શુદ્ધ શ્રાવકને દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ ત્રણ રેખા કાંગણી રત્નથી કરી. એમ કરી પિતાને અવતાર સફલ કર્યો. વળી ચક્રવતીએ શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર કર્યો, પ્રથમ સંઘ કાઢી સંઘવીની પદવી પ્રાપ્ત કરી. વળી અષ્ટાપદ પર્વત પર ચોવીશે તીર્થકરેના શરીર પ્રમાણની પ્રતિમાઓ કરાવી દેરાસર બંધાવરાવ્યાં.
આ રીતે શ્રીસંઘની ભક્તિ કરી અનુક્રમે આરીસાભવનમાં પિતાનું રૂપ જોતાં અનિત્ય ભાવના ભાવતાં મનમાં વિરાગ્ય વૃદ્ધિ કરતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેને દેવતાઓએ મહોત્સવ કર્યો. ચોરાશી લાખ વર્ષનું આયુષ્ય સમાપ્ત કરીને મેક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org