________________
કથામંજરી-૨ વચને સાંભળવાથી હું બચી ગયું છું. હવે મને દીક્ષા લેવાને વિચાર છે, માટે ભાર પર્વતની ગુફામાં મેં ચોરી લાવેલું ધન રાખેલું છે, તે આપ મારી સાથે ત્યાં પધારીને સર્વ પ્રજાજનોને તેમનું ધન ઓળખાવી ઓળખાવીને પાછું સુપ્રત કરી દે.”
હિણેયે પિતાના આખા કુટુંબને બેધ આપીને, તેઓની આજ્ઞા મેળવીને દીક્ષા લીધી. નિરતિચાર ચારિત્ર પાળીને અંતિમ સમયે અનશન કરીને તે દેવલોકમાં ઉત્પન્ન થયો.
રોહિણેયની માફક જે કોઈ પ્રાણી સિદ્ધાંતના વચનને અનુસરે તે સુખને પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org