________________
નથી. તીક્ષણ દોહવાસ કદી પણ પોતાના અચિત કર્યું
બંગાળદેવની કથા
૨૩૭ આ વાત સાંભળીને બંગાળદેવે વિચાર કર્યો કે–“મને ધિક્કાર છે! તે મારી બંને પત્ની મારા વગર વર્ષાઋતુ કઈ રીતે વીતાવતી હશે? હું સ્નેહરહિત છું, અધમ છું, કારણ કે તે બન્નેને ઓચિંતી છેડી દઈને હું અહીં આવ્યો છું. વળી અહીં પણ પ્રેમાળ પત્ની મળવાથી મેં તે બન્નેને પ્રેમ બીલકુલ વિસારી દીધું છે. મંત્રશક્તિ દેખવાથી મેં તેમના ઘાતકી સ્વભાવને વિચાર કર્યો તે પણ અનુચિત કર્યું. છે. કારણ કે કઈ પણ સ્ત્રી કદી પણ પિતાના પતિને હણતી નથી. તીણ દાઢવાળે સર્ષ પણ પોતાના શરીરને ડંખ મારતે નથી, તેથી હવે તે હું ત્યાં જાઉં તો જ મારું જીવિત પ્રમાણ થાય, નહિ તે મારા જેવા દુરાત્માના ફેગટ પુરુષાર્થનું શું પ્રયજન છે.”
આમ વિચાર કરતાં કરતાં તેનું મુખ પડી ગયું. શરીર ઊપર પરસેવે વળે, નિશ્વાસ મૂકવા લાગે અને તેને આનંદ ઉડી ગયેતેની આવી પરિસ્થિતિ દેખીને તેની પત્નીએ પૂછયું કે-“આર્યપુત્ર! આવી રીતે કેમ ચિંતાતુર દેખાઓ છે ?”
ત્યારે બંગાળદેવે સત્ય હકીકત કહી, અને કહ્યું કે“હે કૃદરી આ પ્રમાણે મારી પ્રથમની બે પત્નીઓનું
સ્મરણ થવાથી સ્વદેશમાં જવાની મારી ઈચ્છા થઈ છે અને તેના લીધે હું ચિંતાતુર દેખાઉં છું.”
આ પ્રમાણેના તેનાં વચનો સાંભળીને વિદ્યુલ્લતા અતઃ કરણમાં અનુતાપૂર્વક વિચાર કરવા લાગી કે “તેમને પ્રથમની બે પનીઓથી પડેલા દુઃખને સંભાળીને, મારી સાથે અપૂર્વ પ્રેમ કર્યો; હવે તે તે પ્રેમ શેક્યની સત્તાના પંકથી મલિન થાય છે. વળી મને છેડીને તેમને જવાની ઈચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org