________________
૨૩૬
કથામંજરી-૨ કરી તેણે કહ્યું કે-“શેઠ ! મારી આ વિદ્યુલતા નામની બહેન છે, તેની સાથે આપ લગ્ન કરો.”
બંગાળદેવે કહ્યું કે-“તમે મેટા વ્યાપારી છે, મારું કુલ કે શીલ તમે જાણતા નથી, હું એક કાપડી છું, તમે મને આ કન્યારત્ન પરણાવવાનું શું જોઈને કહો છે ?”
વ્યાપારીએ કહ્યું કે “નિમિત્તિયાએ કહ્યું હતું કે આવા રૂપવાળ કાપડીને વેષ ધારણ કરીને એક માણસ અમુક દિવસે, અમુક સમયે તારા ઘેર આવશે તેની સાથે તારી બહેનનું લગ્ન કરજે.” આ પ્રમાણે કહ્યું હતું તે જ પ્રમાણે બન્યું છે, તેથી હું મારી બહેન તમને પરણાવું છું.
તે વ્યાપારીનાં આવાં વચન સાંભળીને બંગાળદેવે તે વિશાળ લોચનવાળી વિદ્યુલતા સાથે લગ્ન કર્યું. તેની સાથે નેહપાશથી બંધાઈને લાંબા વખત સુધી તે ત્યાં રહ્યો. પ્રથમની બંને સ્ત્રીઓને તે ભૂલી જ ગયે. એક ચમાસાની રાત્રે વિરહિણી સ્ત્રીને બાણરૂપ લાગતી વરસાદની ધારાઓ વરસતી હતી, આકાશમાં વાદળાંઓની ગર્જનાઓ થઈ રહી હતી, તે વખતે બંગાળદેવ વિદુલ્લતાની સાથે શયનમંદિરમાં પગ ઊપર બેઠેલો હતો.
આ વખતે નજીકના ઘરમાં એક સ્ત્રીને બહુ ઊંચા અવાજે રૂદન કરતી સાંભળીને બંગાળદેવે વિદ્યુલતાને પૂછ્યું કે-“હે પ્રિયા ! આ સ્ત્રી શા માટે રૂદન કરે છે?”
વિદુલ્લતાએ વીજળીના ઝબકારામાં તેના ઘર તરફ જેઈને કહ્યું કે “સ્વામિન ! તેને પતિ શિશિર ઋતુમાં પરદેશ ગયે છે, વર્ષાઋતુમાં હું આવીશ; એમ કહીને તે ગયો હતો. ગ્રીષ્મ ઋતુ ગઈ ને વર્ષાઋતુ આવી તે પણ હજુ સુધી તે આવેલ નથી તેથી તેનું હૃદય બળવાથી તે રૂદન કરે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org