________________
૨૩૮
કથામંજરી-૨ થઈ છે, તેથી તેમને શિખામણ આપીને સમજાવું. જે ન જાય તો સારું; છતાં પણ શેર કરીને તેઓ જાય તે પછી મારું પણ પરાક્રમ તેમને બતાવું.”
આ દઢ નિશ્ચય કરીને તેણીએ કહ્યું કે “પ્રિયતમ! તમારા વિના એક ક્ષણ પણ હું જીવી શકું તેમ નથી. તેથી આવી નિષ્ફરતા ધારણ કરીને તમે દેશાંતર શી રીતે જઈ શકશે? સમુદ્ર તો ગંગાના સંગ વગર પણ સમુદ્ર તરીકે રહી શકે છે, પરન્તુ ગંગા તેના વગર એક ક્ષણ પણ રહી શકે ખરી કે ? તે કહે. વળી વિચાર કરો કે સ્ત્રીઓને પતિના વિરહે સંતાપવાળા દિવસે કેટલા લાંબા થઈ પડે છે?
આ પ્રમાણે સાંભળીને બંગાલદેવે કહ્યું કે –“હે પ્રિયા ! ત્યાં જઈને કેટલાક દિવસ રહીને પાછે હું તરત જ અત્રે આવીશ. હે માલતી! બીજા ફૂલમાં ભમરે ભમે છે, તેથી તે બીજામાં મગ્ન થઈ જશે, તેવી ભ્રાંતિ તું મનમાં લાવીશ નહિ. તારી લોકેત્તર સુધીની મહત્તા તેને બહાર ફર્યા વિના કેવી રીતે માલુમ પડશે.”
આ પ્રમાણે જવાબ મલવાથી વિદ્યુલ્લતા મૌન રહી. સવારે પતિ ચાલે, ત્યારે દહીં સહિત કબક કરીને તેણીએ બંગાળદેવને ભાતામાં આવે. તે કરંબક લઈને પગે ચાલત તે આગળ વધ્યા. દોઢેક કલાક ચાલ્યા પછી રસ્તામાં એક નિર્મળ પાણીવાળું સરોવર આવ્યું. તે સ્થળે તે ખાવા બેઠે. આવા નિર્જન સ્થાનમાં પણ તે ખાવા બેઠે ત્યારે છીંક થઈ, તેથી તે ખાધા વગર આગળ ચાલ્યા. થોડેક દૂર જઈને ફરી જમવા બેઠે અને ફરી છીંક થઈ આ પ્રમાણે ત્રણ વખત છીંક થવાથી બંગાળદેવે તે કરંબક ખા જ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org