________________
રેહકની કથા
૨૨૧ પામીને તેણે પૂછ્યું કે –“ અરે રેહક ! બોલ, તેં શું નિર્ણય કર્યો.” રેહકે કહ્યું કે –“તમારે પાંચ બાપ છે.”
રાજાએ પૂછ્યું કે:-“કોણ કોણ?” હકે કહ્યું કે – “એક તમારે બાપ કુબેર છે, કે જેને લીધે તમારામાં દાન આપવાની શક્તિ આવી છે. બીજો તમારો બાપ ચાંડાલ છે, કારણ કે વૈરીઓ ઊપર તમે ચાંડાલની માફક કેપ દર્શાવે છે. ત્રીજે તમારે બાપ બેબી છે, કારણ કે બેબી જેમ વસ્ત્રને નીચોવી નાખે છે, તેવી રીતે આપ પણ લોકોનું સર્વસ્વ હરણ કરી લેતા દેખાઓ છો. એથે તમારો બાપ વીંછી છે, કારણ કે મારા જેવા ભર નિદ્રામાં સૂતેલા બાળકને રમવાની લાકડી વડે વીંછીની જેમ નિર્દય રીતે તમે પીડો છે. પાંચમા બાપ તમારા પિતા છે, કે જેને લીધે યથાવસ્થિત ન્યાય અને રાજ્યનું તમે પરિપાલન કરે છે.”
રેહકે આ પ્રમાણે કહ્યું. તે સાંભળીને રાજા મૌન રહ્યો. અને સવારના નિત્ય કાર્યોમાં પ્રવર્તે થયો. પછી માતાને નમસ્કાર કરીને એકાંતમાં તેણે પૂછયું કે –“માતા કહો, મારે કેટલા બાપ છે?” માતાએ કહ્યું કે:-“વત્સ! આવું શા માટે પૂછે છે?” તારા પિતાથી જ તારે જનમ થયો છે.” પછી રેહકે જે કહ્યું હતું તે બધું રાજાએ માતાને કહી સંભળાવ્યું. અને કહ્યું કે –“માતાજી! પ્રાયે તે રોહક જૂઠું બોલતો નથી, તેથી સાચી હકીક્ત હોય તે કહે.”
આ પ્રમાણે રાજાના અત્યંત આગ્રહથી, તેની માતાએ કહ્યું કે –“જ્યારે તું ગર્ભમાં હતું, ત્યારે બહારના ઉદ્યાનમાં વૈશ્રવણ (કુબેર)ની પૂજા કરવા હું ગઈ હતી. તે યક્ષને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org