________________
-૨૨૦
કથામંજરી-૨ થઈ જાય છે?” આ પ્રમાણે કહેવાથી રાજાને પણ તે બાબતને સંશય થયો. તેથી તેણે રેહકને જ પૂછયું કે –“તે કેમ થતી હશે?” રેહકે કહ્યું કે –“મહારાજ! તેના પેટમાં સંવર્તક નામને ફરતો પવન હોય છે, તેને લીધે લીંડીઓ ગોળ થઈ જાય છે.” પછી તે સૂઈ ગયે.
ત્રીજા પહોરે રાજાએ તે જ પ્રમાણે પૂછવાથી રેહકે કહ્યું કે –“મહારાજ! હું જાણું છુ.” રાજાએ પૂછ્યું કે –“શું વિચાર કરતો હતો?” તેણે કહ્યું કે –મહારાજ! ખીસકેલીના શરીર જેવડું જ પુંછડું હોય કે કોઈ નાનું મેટું હેય?” આ પ્રશ્નને નિર્ણય નહિ થઈ શકવાથી, રાજાએ તેને જ પૂછ્યું કે “તે શું નિર્ણય કર્યો.” રેહકે કહ્યું કે – “મહારાજ બંને સરખા હેય છે.” પછી તે સૂઈ ગયે.
ચોથા પહોરે પ્રભાત થયું. મંગળ ધ્વનિ થવા લાગ્યા. સર્વ સ્થળે પ્રકાશ થવા માંડ્યો. તે વખતે રાજા જાગૃત થયા અને હકને બોલાવ્યો. અતિશય નિદ્રામાં લીન થઈ જવાથી કાંઈ પણ જવાબ તેણે આપે નહિ. તેથી રાજાએ રમવાની લાકડી વડે જરા તેને સ્પર્શ કર્યો કે, તરત જ તે સાવધાન થઈ ગયે.
રાજાએ પૂછ્યું કે –“કેમ ઉંઘી ગયો હતો કે ?” - રેહકે કહ્યું –“દેવ! હું જાગતે હિતે.” રાજાએ પૂછયું
કે –“ તું શું વિચાર કરતો હતો?” તેણે કહ્યું કે-“મહારાજ! હું વિચાર કરતો હતો કે આ રાજાને કેટલા બાપ હશે?” આ પ્રશ્ન સાંભળીને ડીવાર તો રાજા પણ શરમથી નીચું મેં રાખીને ઊભો રહ્યો. એક ક્ષણ પછી આશ્ચર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org