________________
રાહકની કથા
૨૧૯. વળી “ખાલી હાથે રાજા, દેવ અને ગુરુ પાસે જવું નહિ.” એ વિચાર કરીને હાથમાં માટીને પિંડ રાખી, તે નજરાણા તરીકે રાજા પાસ મૂક્યો. રાજાએ રેહકને પૂછયું -“અરે રેહક! આ શું?” તેણે કહ્યું કે –“મહારાજ! આપ પૃથ્વીના નાથ છે, તેથી આ પૃથ્વી પિંડ હું સાથે નજરાણું તરીકે લાવ્યો છું.” આવી રીતે પ્રથમ મુલાકાતે જ માંગલિક શબ્દ સાંભળીને રાજા સંતોષ પામે. ગામના બીજા લોકે પિતાને ગામ પાછા ગયા.
રેહકને રાજાએ પોતાની પાસે સુવાક્યો. રાત્રીને પ્રથમ પહાર ગયો, ત્યારે રાજાએ પૂછયું કે –“અરે રેહક ! જાગે છે કે ઉંઘે છે?” રેહકે કહ્યું કે –“મહારાજ! જાણું છું.” રાજાએ પૂછયું કે –“શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે
પીપળના પાંદડામાં શું મોટું? દાંડલી કે શિખા? તે સંબંધી હું વિચાર કરતો હતો.”
રાજા પણ તે બાબતને સંશય થવાથી બોલે કે – તેં વિચાર બહુ સારો કર્યો, પણ તેને નિર્ણય શું કર્યું?” રેહકે કહ્યું કે:-“જ્યાં સુધી શિખાને અગ્રભાગ સુકાતે નથી, ત્યાં સુધી બંને સરખા હોય છે.” રાજાએ આનંદ પામીને પાસે રહેલાઓને તે હકીકત પૂછી, તે બધાએ પણ તે કબુલ કર્યું. પછી રેહક સૂઈ ગયે.
ફરીથી રાત્રીના બીજા પહોરે રાજાએ પૂછયું કે –“અરે રેહક! જાગે છે કે ઉઘે છે?” તેણે કહ્યું “મહારાજ! જાણું છું.” રાજાએ પૂછ્યું -“શું વિચાર કરે છે?” રેહકે કહ્યું કે –“મહારાજ ! બકરીના પેટમાં લીંડીએ ગોળ કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org