________________
રાહકની કથા
૨૧૭ પછી રેહકની સલાહ પ્રમાણે ગામના આગેવાન પુરુએ રાજા પાસે જઈને કહ્યું કે –“હે મહારાજ! આજે તે હાથી બેસતું નથી, ઉઠતે નથી, ઘાસ ખાતે નથી, નિહારાદિ કરતો નથી, શ્વાસોશ્વાસ લેત-મૂકતો નથી. કોઈ પણ જાતની તે હીલચાલ કરતું નથી.” તે વખતે રાજાએ પૂછ્યું કે “શું તે હાથી મરી ગયો?” આગેવાનોએ કહ્યું કે “આપ તેમ કહી શકે છે, અમે તેમ કહેતા નથી.” તેઓએ આ પ્રમાણે કહેવાથી, રાજા મૌન રહ્યો. આગેવાને પોતપોતાના ઘેર પાછા ગયા.
વળી ફરીથી રાજાએ હુકમ કર્યો કે –“તમારા ગામમાં સ્વચ્છ અને સ્વાદિષ્ટ જળથી ભરેલે કુવે છે, તે અહીં તાકીદે મેકલી આપે.” આ હુકમના પ્રત્યુત્તર માટે ગામના આગેવાએ રેહકને પૂછ્યું. રેહકે કહેવરાવ્યું કે –“હે મહારાજા! અમારો ગામડાને કુ સ્વભાવથી બહુ શરમાળ અને બીકણ હોય છે, તે પિતાની જાતિના કુવા વગર બીજા કેઈને વિશ્વાસ કરતો નથી, તેથી આપણું શહેરના એકાદ કુવાને અત્રે મેકલજો, જેથી તેના ઉપર વિશ્વાસ આવવાથી અમારે કે તરત જ ત્યાં આવશે.”
આ પ્રમાણે રાજસેવકેને નિત્તર કરીને પાછા મોકલ્યા. તેઓએ તે હકીકત રાજાને નિવેદન કરી. પિતાના હૃદયમાં રાહકના બુદ્ધિશાળીપણાના વખાણ કરતો રાજા મૌન ધારી રહ્યો.
વળી કેટલાક દિવસ પછી “ગામના પૂર્વ દિશાના વનને પશ્ચિમ દિશામાં ફેરવી નાખજે”એ રાજાનો હુકમ થવાથી, તેને ઉપાય રેહકને પૂછીને ગામના લોકેએ પિતાના
સમાન નલિન કોહરના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org