________________
૨૦૬
કથામંજરી ૨ ઉત્તર દેવામાં ચતુર કમલે તરત જ કહ્યું કે-“મહારાજ! મેં તો ઘણા નિયમો ગ્રહણ કરેલા છે, તે આ પ્રમાણે –(૧) બેસીને સૂવું, ઊભા ઊભા ઉંઘવું નહિ, (૨) પિતાની ઈચ્છાથી મરવું નહિ, (૩) રાંધેલું ભેજન ખાવું, કાચલા-ઈંટ વગેરે ન ખાવું, (૪) દૂધમાં આકડાનું અને થર વગેરેનું દૂધ ન પીવું, (૫) આખું નાળીએ મેઢામાં નાંખવું નહિ, (૬) પારકું ધન ગ્રહણ ર્યા પછી ઘણા કલેશ થયા વગર આપવું નહિ વગેરે.”
ગુરુ મહારાજે કહ્યું કે-“ભાઈ! આ હાંસીને વખત નથી. માટે કાંઈક તો નિયમ રૂપી રત્ન અમારી પાસેથી જરૂર ગ્રહણ કર.”
કમલે કહ્યું કે “સ્વામિન! આપશ્રીને જે બહુ જ આગ્રહ છે, તે અમારા પાડોશી વૃદ્ધ કુંભારની હમેશાં ખીલેલા બિલ્વપત્ર જેવી તાલ જોયા પછી જ હું ભજન કરીશ, અન્યથા ભેજન કરીશ નહિ.”
આચાર્ય મહારાજે સર્વની સાક્ષીએ તેને તે નિયમ દઢતા પૂર્વક ગ્રહણ કરાવીને તે સ્થળેથી વિહાર કર્યો.
કમલ તે લીધેલ નિયમ કાંઈક લેકલાજથી, કાંઈક વચન ભંગથી થતા પાપની બીકથી અને કાંઈક ગુરુ મહારાજના સંસર્ગથી ઉત્પન્ન થએલી શ્રદ્ધાથી બરાબર પાળવા લાગ્યો. એક દિવસ કેઈ કાર્યપ્રસંગે રાજદરબારમાં તેને બપોર સુધી રોકાઈ રહેવું પડયું. ત્યાંથી છૂટીને તે ઘેર આવ્યે, અને જમવા બેઠે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org