________________
કમલશેઠની કથા
૨૦૫. કલહાંતરિતા, (૫) વાસકશચ્યા, (૬) વિરહાત્કંઠિતા, (૭) વિપ્રલબ્ધા અને (૮) અભિસારિકા. આ આઠમા છેલ્લી ત્રણ અવસ્થા પરસ્ત્રી સંબધી છે.”
આ પ્રમાણેની કામશાસ્ત્રની કથાથી કમલનું મન બહુ જ આકર્ષાયું અને તે છે કે “ભગવદ્ ! બીજે કેણ આવું કહેવા સમર્થ છે? પ્રથમ આવેલા આચાર્યોને વાણીવિલાસ રસ વગરને હતો, પરંતુ આપણા વચન રૂપી અમૃતરસથી મારું મન રૂપી વૃક્ષ બહુ આનંદિત થયું છે. હવે હું હમેશાં આપને વંદન કરવા આવીશ.”
આ પ્રમાણે નિશ્ચય કરીને કમલ પિતાના ઘેર ગયો. પછી કઈ વખત અર્થ કથા વડે, કેઈ વખત ઈદ્રજાળના વિનોદ વડે, કેઈ વખત સમશ્યાદિ ટુંકી વાર્તાઓ વડે કમલને વિનોદ કરાવતાં એક મહિને થઈ ગયે. માસ પૂરો થયે અને વિહારને સમય નજીક આવ્યું, એટલે ઘણા શ્રાવકો વ્રત નિયમાદિ ગ્રહણ કરવા માટે ગુરુ મહારાજ પાસે આવવા લાગ્યા.
કમલ પણ વિનયપૂર્વક ગુરુ પાસે આવ્યો. ગુરુએ તેને કહ્યું કે “ભાઈ હવે અમે વિહાર કરીએ છિએ તેથી કાંઈક નિયમ ગ્રહણ કર. સર્વ પુરુષાર્થોમાં ધર્મ મુખ્ય પુરુષાર્થ છે. તે ધર્મ સંયમથી સાધ્ય કરી શકાય છે અને સંયમ વ્રત, નિયમ ધારણ કરવાથી સાધી શકાય છે.”
* સ્ત્રીઓની અવસ્થાઓ તથા જૂદી જૂદી જાતિઓ વગેરેનું વિસ્તૃત વર્ણન જૈનાચાર્ય નબુદાચાર્ય વિરચિત “કેકશાસ્ત્રમાં વિસ્તારથી આપેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org