________________
૨૦૨
કથામંજરી-૨ અને “આ વૃદ્ધની ઠીક મશ્કરી કરી.” એમ લેકમાં કહેવા લાગ્યો.
તેના પિતાએ પણ લોકો પાસેથી આ વૃત્તાંત જાણ્ય, અને તે બહુ દિલગીર થયે.
કેટલાક સમય પછી શીલસાગર નામના બીજા આચાર્ય નગરના ઉદ્યાનમાં પધાર્યા. લોકોની પાસેથી તેમના આવવાની વાત સાંભળીને પિતાની પ્રેરણાથી તેઓની પણ મશ્કરી કરવા માટે મેટા સમુદાય સાથે કમલ આચાર્ય મહારાજ પાસે ગયે.
પહેલા આવેલા આચાર્યની હાંસી કરેલી વાત તેઓએ સાંભળી હતી. તેથી તે આવે કે તરત જ પહેલા આવેલા શ્રોતાઓ પાસેથી “આ તે જ કમલ છે” એ નિશ્ચય ગુરુ મહારાજે કરી લીધું.
કમલે ગુરુને વિધિ સહિત વંદન કર્યું, તેથી ધૂમાં મુખ્ય પણ હદયન ભેળ હોવાથી આ ઉપદેશને લાયક છે તેમ માનતા તે આચાર્યો સરસ્વતીના પગમાં રહેલા મણિના ને પૂર જેવી મધુર વાણી વડે તેને બોલાવ્યું કે “અહે કમલ! ધર્મમાર્ગમાં તે કુશલ વર્તે છે ને ?” - કમલ પણ જાણે અતરમાં ભક્તિભાવ ભરેલો હોય તેમ મસ્તક નમાવીને મધુર સ્વરે બોલ્યો કે “દેવગુરુના પ્રસાદથી કુશલ છે.”
આચાર્યું તેને કહ્યું કે “તારે નીચું મુખ રાખીને જમીન સામે જોઈને મારા ઉપદેશને સારી સારી રીતે વિચારો.”
કમલ પણ તે પ્રમાણે નીચી દષ્ટિ રાખીને બેઠે. ગુરુએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org