SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ કથામંજરી-૨ શ્રીપતિ શેઠે વંદન કરીને ગુરુમહારાજને કહ્યું કે-“હે પૂજ્ય! મારો પુત્ર વિવેક વગરનો છે અને ધર્મથી બીલકુલ વંચિત છે, અને દુર્જન માણસમાં અગ્રેસર છે. માટે કૃપા કરીને ઉપદેશ આપીને ધર્મના રાગવાળો કરો.” ગુરુ મહારાજે કહ્યું કે –“જે તે મારી પાસે આવશે તો હું તેને યથાશક્તિ બંધ આપીશ.” શ્રીપતિ શેઠ ત્યાંથી પિતાના ઘેર ગયે અને જમીને આરામ લેવા માટે પિતાના આંગણામાં જ સૂઈ ગયે. તે જ વખતે જુગારમાં હારીને આવેલો કમલ ઘરમાંથી પિસા લેવાને ઘેર આવ્યો. પિતાને જોઈતું ધન લઈને તે ઘરમાંથી નીકળતું હતું, તે વખતે હેતથી પિતાએ તેને બોલાવીને કહ્યું કે –“પુત્ર ! નજીકના ઉદ્યાનમાં શ્રી શંકરાચાર્ય નામના વિદ્વાન આચાર્ય પધાર્યા છે, તેઓ ખાસ વંદન કરવા લાયક છે. ગુણવાનની સેવા મહાન ફલને આપનાર થાય છે.” આ વાત સાંભળી કમલ કાંઈ પણ જવાબ આપ્યા વગર ઘરની બહાર નીકળી ગયો, અને જુગારીઓ સાથે વેશ્યાને ત્યાં ગયો. પછી નવરાશ મળતાં તેણે વિચાર કર્યો કે-“પિતાએ જે આચાર્યને બહુ વંદન કરવા લાયક કહ્યા છે, તેમની પાસે આ નવરાશના સમયે જઈ આવું.” આ પ્રમાણે વિચાર કરીને કુતૂહલની ખાતર તે કમલ આચાર્ય પાસે ગયો, અને બનાવટી પ્રેમ દેખાડતો તેમને વંદન કરીને તેમની સામે ઊભે રહ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy