________________
૧૯૨
કથામંજરી-૨ વંદન કરીને લક્ષણે પૂછયું કે “હે પૂજ્ય! મારા પિતાજી મરીને ક્યાં ગયા હશે?” ગુરુ બેલ્યા “હે વત્સ! તારો પિતા મેહના વશ કરીને એનેંદ્રિય પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાંથી અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયમાં અનુક્રમે ઉત્પન્ન થઈ ઘણે સમય સંસારચકમાં પરિભ્રમણ કરશે. તે વાત સાંભળીને વૈરાગ્ય પામીને, લક્ષણે દીક્ષા લીધી. નિરતિચારપણે ચારિત્ર પાળી, મરીને દેવલોકમાં દેવતા તરીકે ઉત્પન્ન થયે.
લક્ષ્મી ઊપર બહુ જ મોહ રાખનાર માણસ મેહક શેઠની માફક મરણ પામીને પૃથ્વીકાય વગેરે એકેદ્રિય પણે ઉત્પન્ન થાય છે, અને તેને સારા માર્ગે વાપરનાર લક્ષણની માફક ઉત્તરોત્તર સુખ ભોગવીને અંતે મોક્ષસુખ પામે છે. માટે કલ્યાણની ઈચ્છાવાળા મનુષ્યોએ મળેલી લક્ષ્મીને બને તેટલો સારા માર્ગે ઉપયોગ કરવો જોઈએ. એ આ કથાને સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org