________________
જિનદત્ત શેઠની કથા
એમ વિચારીને કુલદેવી કહેવા લાગી કે “હે શેઠ! જે તારે પુત્ર જોઈતો હોય તે, એક જીવનું બલિદાન મને આપ, તે હું તને પુત્ર આપું.” અને જે તેમ નહિ કરે તો તમને બંનેને વિશ્ન આવશે. તે સાંભળી શેઠે કહ્યું કે “તમે આમ કેમ બેલો છે ? ઉત્તમ પુરુષ પોતે લીધેલા નિયમનો ભંગ કરે નહિ, અને મેં તે કઈ પણ જીવને મારવા નહિ તે નિયમ લીધેલ છે, માટે મારે નિયમનો ભંગ કરીને પુત્ર જોઈતો નથી.”
તે સાંભળી દેવીએ કેપ કરીને, શેઠની સ્ત્રીને ચટલેથી પકડીને, તેને મારવા માટે તલવાર ઉગામી. સ્ત્રી પણ રડતી રડતી કહેવા લાગી કે “હે દેવી! મારી રક્ષા કરે ! રક્ષા કરે!” તે પણ દેવીએ તે સ્ત્રીનું મસ્તક છેદી નાખ્યું. વળી શેઠને કહેવા લાગી કે તને પણ આવી જ રીતે મારી ના ખીશ. વળી કહ્યું કે “હે દુષ્ટ ! દુબુદ્ધિ ! તારી વંશપરંપરાનો બલિ આપવાનો રિવાજ છે, તે નહિ આપવાનો તે નિયમ શા માટે લીધે? માટે હવે પુત્રની વાત તો દૂર રહી, પણ તારે પિતાને જીવવાનો પણ સંદેહ છે. માટે કદાગ્રહ મૂકીને તું બલિદાન આપ!”
દેવીનાં આવાં કડવાં વચન સાંભળવાં છતાં પણ, શેઠ ક્ષોભ પામ્યા નહિ. અને દેવીને કહેવા લાગ્યું કે મરવું તો એક વાર છે જે માટે પછી મરીશ, તે કરતાં તું મને હમણાં જ મારી નાખ. પણ હું નિર્દયી થઈને બલિદાન માટે જીવને ઘાત તો નહિ જ કરૂં! શેઠની આવી દઢતા જોઈને, દેવી આનંદિત થઈને શેઠને તેમની પત્નિ જીવતી દેખાડીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org