________________
જિનદત્ત શેઠની કથા
૧૫
િ
પ્રતિષ્ઠિત નામના નગરમાં ચંદન નામનો એક મિથ્યામતિ વ્યાપારી રહેતા હતા. તેને વાહિણી નામની સ્ત્રી હતી. એક વખત એ સાધુઆ તેને ત્યાં વહેારવા આવ્યા. ત્યાં રહી શકાય તેવા ઉપાશ્રય જાણી શેઠની આજ્ઞા લઇ તેમાં રહ્યા. તે સાધુઓના સંસર્ગે શેઠ તથા તેમની સ્ત્રી જૈનધમ પામ્યા. વળી તે સાધુઓના સંસર્ગથી શેઠની ગાત્રદેવી પણ સકિત દૃષ્ટિવાળી થઈ.
પછી તે બંને સાધુએ મીજે વિહાર કરી ગયા. શેઠને એકે પુત્ર નહિ હાવાથી શેઠ અને શેઠાણી અને ચિંતાતુર રહ્યા કરતા હતા. પછી પુત્રને સારૂ કુલદેવીની આરાધના કરવા માટે કંકુ, કપૂર સુખડ અને ફૂલથી, તેની પૂજા કરવા લાગ્યા. એમ કરતાં કુલદેવી પ્રસન્ન થઈ. પ્રત્યક્ષ થઈ ને કહેવા લાગી કે હું શેઠ ! તું જે માંગે, તે હું તને આપું.' તે વખતે શેઠે પુત્રની માગણી કરી. ગેાત્રદેવીએ વિચાર્યું કે આ શેઠે સાધુ પાસેથી પહેલું જે વ્રત લીધું છે, તે ખરાખર પાળે છે કે નહિ ? તેની પરીક્ષા કરૂં.
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org