________________
મૃગ લેઢીયાની કથા
૧૮૫ ઊપર આહાર મૂકી, લોઢાને લઈ આવી તેના ઉપર મૂક્યો. તેણે આહાર સંજ્ઞાથી છિદ્રો મારફતે આહાર લેવા માંડ્યો. જેવો તેને આહાર લીધે કે તરત જ પરુ થઈને બહાર નીકળવા લાગ્યો. આવું દુઃખ જોઈને, શ્રી ગૌતમસ્વામી મહાવીર પાસે પાછા આવી કહેવા લાગ્યા કે જેવું દુઃખ આપે કહ્યું, તેવું જ મેં દીઠું. માટે આપ કહે કે એણે શું મહા પાપ કર્યું હશે કે જેથી એ આવી રીતે દુઃખી થાય છે?
પ્રભુ કહેવા લાગ્યા કે હે ગૌતમ ! મૃતદ્વારી નામના નગરમાં ધનપતિ રાજાને વિજયવર્દન નામે સામંત હતું. તેને પાંચસે ગામ રાજાએ સેંપ્યાં. તેની સંભાળ રાખવા માટે એક રાઠેડને અધિકારી સ્થાપી મેકલ્યો. તે રાઠોડ રૌદ્ર પરિણામવાળે, ક્ષુદ્ર બુદ્ધિવાળો અને મેટા પાપકર્મોને કરવાવાળો હતો. તેની હકુમતના પાંચ ગામમાંથી વધારે પડતા કર લેતો, નવા કરો દાખલ કરતે, લોકોને બેટાં આળ ચડાવી અન્યાય કરીને, દંડ કરીને નિર્ધન કરતો હતો, લોકેને તાડના, તર્જના કરતો, સખત બંધનેએ બાંધીને માર મારતે, આવી રીતના મહા પાપો કરતો હતો.
આવાં પાપથી તે જ ભવમાં તેને કાસ, શ્વાસ, જવર, દાહ, કૂખ શૂલ, ભગંદર, હરસ, અજીર્ણ, આંખોની વેદના, કાનોની વેદના, પૂઠ ફૂલ, ખસ, કઢ, જલદર, વેગ અને વાયુ, આ સોળે મહારોગ ઉત્પન્ન થયા. તે રોગોએ કરીને રીબાતો રીબાતે, આર્તરૌદ્ર ધ્યાન ધરી મરણ પામીને, પહેલી નરકે ઉત્પન્ન થયું. ત્યાં પણ છેદન, ભેદન, તાપ, તાડનાદિ અનેક કષ્ટ સહન કરી, ત્યાંથી નીકળીને અહીં વિજય રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org