________________
૧૮૪
કથામંજરી-૨ છે. હાથ, પગ, આંખ, કાન, નાક, ભ્રકુટી, મુખ વગેરે અંગો તો તેને છે જ નહીં. જેની આઠ નાડી અંદર અને આઠ નાડી બહાર વહે છે. આઠ નાડી લેહીની અને આઠ નાડી પરૂની વહે છે. મહા દુર્ગધવાળે છે. શરીર લોઢા જેવું છે, વળી હમેશાં છિદ્રોએ કરી તે આહાર લે છે.”
સાંભળી ગૌતમસ્વામીને ભારે આશ્ચર્ય થયું. તેને જેવા માટે કહેવા લાગ્યા કે “હે સ્વામી! તમે આજ્ઞા આપે, તો હું તેને જોઈ આવું.” પ્રભુએ આજ્ઞા આપી. ગૌતમસ્વામી રાજાને ઘેર પહોંચ્યા. રાજા રાણી બહુ આનંદ પામ્યા. રાણી બોલી મહારાજ! આજે અમારા ઉપર અનુગ્રહ કર્યો. ગૌતમ સ્વામીએ રાણીને કહ્યું કે “મારે તમારો પુત્ર જેવે છે.” રાણીએ પિતાના ચાર પુત્રોને બોલાવીને, ગૌતમસ્વામીને વંદન કરવાનું કહ્યું. ગૌતમસ્વામીએ તેઓને ધર્મલાભ દીધે.
પછી ગૌતમસ્વામીએ કહ્યું કે “મારે તમારે લોઢા જે જે પુત્ર છે, તેને જોવો છે.” રાણી બોલી કે “હે મહારાજ! તે પુત્ર કઈ ન જાણે તેવી રીતે અમે ભેંયરામાં રાખ્યો છે, તે તમે શી રીતે જાણ્યું?' ગૌતમસ્વામી બોલ્યા કે “અમારા ગુરુ મહાવીર પ્રભુ સર્વજ્ઞ છે, તેમના કહેવાથી જાણ્યું.” પછી રાણીએ કહ્યું કે “હે ભગવન્! શેડી વાર ઊભા રહો. ભોજન વખતે વસ્ત્રાભરણ મૂકી ગાડલીયે આહાર ઘાલી ભેંયરામાં જઈશું, ત્યારે તમને સાથે લઈ જઈ દેખાડીશું.” પછી રાણી ગાડલી લઈ ગૌતમસ્વામીને તેડી ભોંયરામાં ગઈ તે વખતે રાણીએ કહ્યું કે “હે ભગવન્! અહીં ખૂબ ગંધ છે, માટે મુહપત્તિથી મુખ તથા નાક બાંધીને અંદર આવજે.” ત્યાં જઈ જેવું ભંયરું ઊઘાડ્યું, કે ખાધેલું અન્ન પાછું વળે, એવી મહાદુર્ગધ આવવા માંડી. રાણીએ સાદડી પાથરી તેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org