________________
મૃગા લોઢીયાની કથા
૧૨૪ મા, ભરતક્ષેત્રમાં મૃગ ગામમાં વિજય નામને રાજા હતા. તેને મૃગાવતી નામની રાણી હતી. એક વખત પ્રભુ મહાવીર, શ્રીગૌતમસ્વામી વગેરે અનેક સાધુઓના પરિવાર સાથે, તે નગરમાં સમસર્યા. બારે પર્ષદા પ્રભુની વાણી સાંભળવા બેઠી. એ વખતે એક આંધળો, તથા હાથ, પગ, નાક, આંગળી વગેરે જેનાં ગળી ગયાં છે, વળી જાતે કઢીયો છે, ખરાબ સ્વરવાળી અને દુર્ભાગી એ માણસ, લાકેથી નિંદા થકો ત્યાં સમવસરણમાં આવ્યો.
તેને દેખી ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે “હે ભગવદ્ ! આ જીવ ક્યા અશુભ કર્મના યોગે આ પ્રમાણે મહાદુઃખ ભોગવે છે?” ભગવાને કહ્યું કે એણે પૂર્વભવમાં ઘણાં પાપકર્મ કર્યા છે, તેથી દુઃખી થાય છે. વળી ગૌતમસ્વામીએ પૂછયું કે “પ્રભુ ! આ જીવથી પણ અધિક દુઃખી કઈ જીવ હશે?” કે જેને દેખી લોકોને સૂગ ચઢે, લોકે કહાડી મૂકે.
પ્રભુ બોલ્યા કે “હે ગૌતમ! આ જ ગામના રાજાને પુત્ર અત્યંત દુઃખી છે. તે બહેરે, પાંગળે અને નપુંસક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org