________________
૧૮૨
કથામંજરી-૨ પુત્ર થયો છે. એ દેવ, ગુરુ, ધર્મ ઊપર દ્વેષ રાખતો હતો, અને કુટિલ હતું, તેથી કુરૂપે થયે છે. હજુ પણ ધર્મ ઊપર દ્વેષ કરનારે છે, તેથી ઘણો સંસાર પરિભ્રમણ કરશે. ગુરુના મુખથી આ વાત સાંભળીને, જગસુંદરને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી હર્ષ પામ્યો. ઘણે સમય શ્રાવકધર્મ આરાધી, અંતે દીક્ષા લઈને મેક્ષ સુખ પામે.
દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ કરવાથી જગતુંદર રૂપવાન, ધનવાન તથા બુદ્ધિવાન થયો અને દેવ ગુરુ અને ધર્મની નિંદા કરવાથી અસુંદર કાળો, કુરૂપવાળા, દુર્ભાગી અને બુદ્ધિહીન થયો. માટે દરેક મનુષ્ય બને તેટલી દેવ, ગુરુ અને ધર્મની ભક્તિ કરવી અને જીવોની રક્ષા કરવી, એ આકથાનો સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org