SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ જગસુંદર અને સુંદરની કથા ૧૮૧ એ તેણીએ બીજા પુત્રને જનમ આપ્યો. લોકોએ તેનું રૂપ દેખી અસુંદર નામ પાડ્યું. તેને કેઈ કન્યા પરણાવવા પણ તૈયાર થયું નહિ. તેના પિતાએ તેને કહ્યું કે “હે વત્સ! તે પૂર્વભવમાં પુણ્ય કીધું નથી, તેથી આ કુરૂપ થ છું, માટે હમણાં ધર્મકરણી કરીને પુણ્ય ઉપાર્જન કર.” તે પણ તેને ધર્મ કરવાની ઈચ્છા થઈ નહિ. એક વખતે તે નગરમાં ચાર જ્ઞાનવાળા સુવ્રત નામના આચાર્ય આવ્યા. તેઓની પાસે દેવસિંહ શેઠે જઈબંને પુત્રો સાથે વંદના કરી. ધર્મોપદેશ સાંભળે. પછી શેઠે પૂછ્યું કે “હે પૂજ્ય ! મારા આ બે પુત્રો છે, તેમાં એક મોટો ગુણવંત અને પુણ્યવંત છે અને બીજે ના પુત્ર દુષ્ટ, દુર્ભાગી છે. માટે તે બંને જણાએ શું પુણ્ય અને પાપ કર્યો હશે તે કહો.” - ગુરુ કહેવા લાગ્યા કે હે શેઠ! આ જ નગરમાં આ ભવથી પાછળના ત્રીજા ભવે એક જિનદત્ત નામને વણિક રહેતો હતે. તે સરલ સ્વભાવ અને જીવરક્ષા કરવામાં અગ્રેસર હતું. તેથી તેમાં તેના બહુ જ વખાણ થતાં હતાં. વળી તે જ નગરમાં એક શિવદેવ નામને વણિક રહેતા હતે. તે દેવ, ગુરુ અને ધર્મ ઊપર દ્વેષ રાખી, તેમની હાંસી કરતો હતો. જો કે જિનદત્ત તેનો મિત્ર હતા, તે પણ તે જીવહિંસા કરતો હતે. તે શિવદેવ મરીને પહેલી નરકે ગયે. અને જિનદત્ત મરીને પહેલા દેવલોકે ગયે. ત્યાં દેવતાનાં સુખ ભેગવી, વીને તારે જગસુંદર નામને માટે પુત્ર થયો છે, અને શિવદેવને જીવ નરકથી નીકળીને, તારે અસુંદર નામને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy