SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિશમાં બ્રાહ્મણની કથા આ કાયા શુદ્ધ થાય છે, ગંગાના જલ વિના જ શુદ્ધ થાય છે. ૧૭૭ વળી તે' કહ્યું કે બ્રાહ્મણની પૂજા કરનારો સ્વર્ગે જાય છે, તે પણ અયુક્ત છે. કેમકે જે બ્રાહ્મણા અપવિત્ર, બ્રહ્મચર્ય નહિ સેવનારા, ખેતી કરનારા, ઘરમાં ગાય, ભેંસ વગેરે પશુઓનું પાલન કરનારા, તેમજ કેાધી અને નિર્દયી હાય છે, તેવા બ્રાહ્મણાની પૂજા કરવાથી સ્વર્ગ શી રીતે પ્રાપ્ત થાય ? વળી તેં કહ્યું કે યજ્ઞમાં ખેાકડાના વધ કરી અમે તેને સ્વર્ગ માકલીએ છિએ, તે પણ તારું કહેવું અસંયુક્ત છે. કારણ કે તમારા જ શાસ્ત્રોમાં કહ્યું છે કે યૂપને છેઢીને, પશુને મારીને, ભયંકર હિંસાથી લાહીના કાદવ કરીને જો સ્વર્ગમાં જવાતું હોય તે, પછી નરકમાં કાણું જાય? અર્થાત્ કાઈ નરકમાં જાય જ નહિ. Jain Education International બધાં અંગે આવી રીતે બધા લેાકેાના દેખતાં અગ્નિશમાં વાઢમાં હારી ગયા, તેથી ક્રેાધે ભરાઈને ઘેર જતા રહ્યો. પછી રાત્રિએ એકલા વનમાં આવીને સર્વ સાધુએ ઉંઘતા હતા, તેમને લાતા તથા મુષ્ટિએના પ્રહાર કીધા, તેને વનદેવતાએ પકડયો. તેના અને પગ શક્તિથી છેદી નાંખ્યા. તેની પીડાથી ટળવળતા સવારે લેાકેાએ તેને દીઠા. જ્યારે લેાકેાએ રાત્રિના બધા વૃત્તાંત જાણ્યા, ત્યારે સર્વ લેાકેા તેની નિંદા કરવા લાગ્યા. સાધુએની અવજ્ઞા કરવાથી, તે અગ્નિશર્મા મરીને પહેલી નરકે ગયેા. ત્યાંથી નીકળીને એક દરિદ્રીને ઘેર પાસડ નામના પુત્ર થયા. પૂર્વના કર્મોએ કરીને તે મુંગેા અને હુંઠા થયેા. જનમતાં જ તેની માતા મરી ગઈ. તે આઠ વરસના થયે। ત્યારે તેના પિતા મરી ગયા. લેાકેાનું દાસપણું કરીને પેટ ભરવા લાગ્યા અને ત્યાંથી મરીને ઘણા સમય સંસારમાં ભમશે. ૧૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005178
Book TitleKatha Manjari Part 02
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy