________________
દત્તની કથા ૧૨૦
I,તિપ્રતિષ્ઠિત નામના નગરમાં આદિદેવ ઈશ્વર નામને શેઠ વસતો હતો. તેને પ્રેમીલા નામની સ્ત્રીથી, ચાર પુત્ર થયા હતા. તે ચારેને પરણાવ્યા. શેઠ પિતે વૃદ્ધ થયા, તેના ઘરમાં ઘણું દ્રવ્ય હોવા છતાં તે કઈને દાન તો દેતો જ ન હતો.
એક દિવસ શેઠ જમીને ગોખમાં બેઠેલો હતો. તે વખતે ચોથા પુત્રની સ્ત્રી કે જે સુપાત્રને દાન દેવાની બુદ્ધિવાળી હતી, તે વાસણ માંજવા માટે ઘરના આંગણામાં બેઠેલી હતી. તે વખતે આઠ વર્ષની ઉંમરના એક નવદીક્ષિત સાધુ વહેરવા માટે, શેઠના ઘર આગળ આવ્યા. તેમને દેખી વહુએ કહ્યું કે –
ચેલા ખરી સવાર, ધામણ વાર ન જાણીએ; તુમ યે અન્યથી આહાર, અહ ઘર વાસી છમીએ-૧
સાધુએ કહ્યું કે તો હું બીજે ભિક્ષા માટે જાઉં? વહૂએ કહ્યું કે જેમ યોગ્ય લાગે તેમ કરે. પછી તે સાધુ તે કંજુસનું ઘર મૂકીને, બીજા ઘેર આહાર માટે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org