________________
૧૫૬
કથામંજરી-૨ એક પુત્રી હતી, તે કર્મણે કૂબડી હતી. એક વખત ધનશેઠને કેઈ નિમિત્તિયાએ કહ્યું કે જે કઈ પુરુષ તારી પુત્રી ધનશ્રીને પરણશે, તે માટે વ્યાપારી થશે. એવી વાત સાંભળીને કેઈ ધનપાલ નામના શેઠે ધનશ્રીની માગણી કરી. ધનશ્રીના પિતાએ તે વાત કબૂલ કરી. બીજી જે કૂબડી
કરી હતી તે ધનદત્તને દીધી. બંને દીકરીઓને પરણાવવાનું મુહૂર્ત એક જ લગ્ન આવ્યું.
હવે ધનશ્રીએ, પૂર્વભવના નેહને લીધે ધનદત્ત કૂબડાને પરણવાની ઈચ્છાથી, ત્યાં મનોરથ પૂરક નામને એક યક્ષ હતો, તેને આરાળે. યક્ષે સંતુષ્ટ થઈને વરદાન માગવાનું કહ્યું. ધનશ્રીએ કહ્યું કે “મારો પતિ ઘનદત્ત થાય તેમ કરે.”
તે વખતે યક્ષે કહ્યું કે “તારા પિતાએ બંને પુત્રીઓના એક જ દિવસે એક જ લગ્ન, લગ્ન કરવાનું નક્કી કર્યું છે. તે વખતે હું દષ્ઠિબંધન કરીશ, તું ધનદત્તને પરણજે. પછી
જ્યારે તને પરણીને ઘેર લઈ જશે, ત્યારે મેં જેશે.” એમ કહી યક્ષ અદશ્ય થઈ ગયે.
લગ્નના દિવસે બંને વર સાથે પરણવા આવ્યા. યક્ષે સર્વલોકની દષ્ટિ બાંધી. બંને પરણીને પિતાના ઘેર આવ્યા. ધનદત્ત તો ધનશ્રીને ઘણી જ સ્વરૂપવાન દેખીને હર્ષ પામ્યો. પરંતુ ધનપાલ પિતાની સ્ત્રીને કૂબડી દેખીને ઝંખવાણે પડી ગયો, ને મનમાં વિચારવા લાગ્યો કે આ તે વળી મતિવિભ્રમ થયે કે શું?
આ વાત રાજાએ પણ સાંભળી અને ગામના લોકેએ પણ જાણી. લોકોના ટોળેટોળાં મળી વાતો કરવા લાગ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org