________________
ધનદત્ત અને ધનશ્રીની કથા
૧૧૫ મિમેડન નામના નગરમાં શત્રુદમન નામને
રાજા રાજ્ય કરતો હતો. ત્યાં ધન્ના નામને એક શેઠ રહેતો હતો. તેની સ્ત્રીનું નામ ધીરૂ હતું. તેણે ધંધા માટે પિતાના ઘેર પિઠીયા, ઊંટ, બળદ અને પાડાઓ રાખ્યા હતા. ભાડાના લેભે ધને તે અબેલા છે ઊપર તેમની શક્તિથી વધારે ભાર ભરતો હતો અને ઘણું ભાડું લઈને પિતાનું ગુજરાન ચલાવતે હતો.
એક વખત તેને ઘેર કેઈ તપસ્વી મુનિ વહોરવા માટે પધાર્યા. તેઓને પતિ-પત્નિ–બંને જણાએ હૃદયના ઉલ્લાસથી દાન આપ્યું. દાનના ગે શુભકર્મ ઉપાર્જન કરીને, તે જ નગરના ધનાવહ શેઠને ત્યાં ધનદત્ત નામે પુત્ર પણે ઉત્પન્ન થયે. તે વ્યાપારની બધી રીતે જાણતો હતો, પરંતુ ગયા ભવમાં જીની ઊપર ઘણે ભાર ભરતો હતો, તેથી કૂબડ થયે.
હવે ધીરૂનો જીવ, તે જ નગરમાં ધનશેઠને ત્યાં ધનશ્રી નામે ઉત્પન્ન થયો. ધનશ્રી ઘણી જ રૂપવાન તથા ગુણવાન હોવા છતાં, તે યુવાન થઈ ત્યારે, પૂર્વભવના નેહને લીધે ધનદત્ત કૂબડાને પરણવા ઈચ્છતી હતી. ધનશેઠને વળી બીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org