________________
હિણીની કથા
૧૪૭
નાગપુરથી બાર યોજન દૂર આવેલા નીલ નામના પર્વતની એક શિલા ઉપર રહીને, એક માસના ઉપવાસવાળા એક સાધુ ધર્મધ્યાન કરતા હતા. ત્યાં તે સાધુની તપસ્યાના પ્રભાવથી ત્યાં રહેતા શિકારીને શિકાર મલતો ન હતો, તેથી શિકારીએ સાધુને ઉપદ્રવ કરવા માટે જ જ્યારે તે સાધુને એક માસના ઉપવાસ પૂરા થયા ત્યારે, સાધુ ગામમાં ગોચરી વહરવા ગયા. પાછળથી તે શિકારીએ આવીને, તે શિલાની નીચેના ભાગમાં લાકડાં નાખીને અગ્નિ સળગાવ્યું. સાધુ પણ ગોચરી વાપરીને, ફરીથી તે જ શિલા ઊપર આવીને બેઠા. તેમને શિલાની નીચેથી તાપ આવવા લાગ્યો, શિલા જેમ જેમ તપવા લાગી, તેમ તેમ સાધુ શુભધ્યાનમાં આગળ વધવા લાગ્યા. એમ ઊષ્ણ પરિસહ સહન કરીને, કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા.
તે શિકારી આ દુષ્ટ કર્મથી કોઢ રોગવાળો થયે. ત્યાંથી મરીને સાતમી નરકે ગયે. પછી સર્ષ થઈને પાંચમી નરકે ગયે. પછી સિંહ થઈને ચોથી નરકે ગયે. પછી ચિત્તો થઈને ત્રીજી નરકે ગ. પછી બિલાડો થઈને બીજી નરકે ગયે. પછી ઘૂવડ થઈને પહેલી નરકે ગયે. આ પ્રમાણે નરક અને તિર્યંચના અનેક ભ કરીને એક દરિદ્રી ગોવાલિ થયે. ગાયે ચારવાનો ધંધો કરતાં કરતાં નાગરી નામના શ્રાવક પાસેથી નવકાર મંત્ર શીખે. એક વખત તે ગવાલિ વનમાં સૂતો હતો, એટલામાં દાવાનલ બલતો બલતે એના ઊપર આવી પડયો. તેથી મરણ પામ્યું. મરતી વખતે તેને નવકાર સંભાળ્યું તેથી તેના પ્રભાવે તારે પુત્ર થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org