________________
૧૪૮
કથામંજરી-૨ સાધુના ઉપદ્રવનું કેટલુંક કર્મ હજુ ભેગવવાનું બાકી હોવાથી, તેનું શરીર દુધવાળું થયું છે. આ પ્રમાણે પોતાના પૂર્વ ભવે સાંભળતાં દુર્ગધકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાને પડેલું દુઃખ સંભાળીને તે ત્રાસ પામી ગયા.
તે વખતે પ્રભુને હાથ જોડીને પૂછવા લાગે કે “હે પ્રભુ! હું આ દેષથી છૂટીશ કે નહિ?” પ્રભુએ કહ્યું કે
તું રેહિણીનું તપ કર.” પછી તે રાજપુત્રે રોહિણીનું તપ કર્યું, તેથી તેનું શરીર સુગંધમય થઈ ગયું. માટે હે દુર્ગન્ધા ! તું પણ એ તપ કર. એના પ્રભાવથી સુગંધકુમારની માફક તારાં સર્વ દુઃખ નાશ પામશે. આ પ્રમાણે સાંભળીને દુર્ગધાએ રેહિણીનું તપ અંગિકાર કર્યું. વિધિપૂર્વક શુભધ્યાનથી તપસ્યા કરતાં અને આત્માની નિંદા કરતાં દુર્ગધાને જાતિ
સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી વિશેષ તપ કરવા માંડયું. આયુષ્ય પૂર્ણ થએથી શુભધ્યાને મરણ પામીને દેવકને વિષે દેવતાપણે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચવીને અહીં ચંપાનગરીમાં મઘવા રાજાની પુત્રી થઈ, જેનું નામ રહિણી પાડવામાં આવ્યું. જે તમારી રાણું થઈ છે.
એણે પૂર્વભવમાં હિણી તપ કર્યું છે. તેના પ્રભાવથી દુઃખ એ શું ચીજ છે, એવું પણ એ જાણતી નથી. વળી તપનું ઉજમણું કર્યું તેના પ્રભાવથી એ ઋદ્ધિ પામી છે. વળી હે રાજા! તે સિંહસેન રાજાએ પિતાના સુગંધકુમારને રાજગાદીએ સ્થાપીને પિતે દીક્ષા લીધી. સુગંધરાજા રાજયપાલતો, ધર્મકૃત્ય કરતો, મરણ પામી દેવલોકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી વીને પુષ્કલાવતી વિજયમાં પુંડરગિણી નગરીમાં વિમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org