________________
રોહિણીની કથા
૧૪૫ ગિરિનગરમાં પૃથ્વીપાલ નામને રાજા અને સિદ્ધિમતી નામની રાણી એક વખત વનમાં કીડા કરવા ગયા. એવામાં એક ગુણસાગર નામના મુનિ મા ખમણનું પારણું કરવા માટે નગરમાં જતા હતા. તેમને દેખી રાજાએ વંદન કર્યું. પછી રાણીને પરાણે પાછી વાળીને કહ્યું કે એ જંગમતીર્થ છે, તેમને ખપતા આહારપાણી આપજે.
રાણીએ વિચાર્યું કે આ મૂંડીયાએ આવીને મારી કીડામાં અંતરાય પાડ્યો. તેથી ક્રોધિત થઈને, તે સાધુને એક કડવા તુંબડાને આહાર વહેરાવ્યો. સાધુએ વિચાર્યું કે આ આહાર જ્યાં પરઠવાશે, ત્યાં અનેક જીવોની વિરાધના થશે, માટે મારે પોતે જ તેનો આહાર કરવો જોઈએ. એમ વિચારીને પોતે તે વાપરી ગયા. એટલે કડવા તુંબડાનાં ઝેરથી શુભધ્યાને મરણ પામીને દેવતા થયા.
પાછળથી રાજાને આ વાતની ખબર પડી. રાજાએ રેણીને ઘરની બહાર કહાડી મૂકી. જંગલમાં રખડતાં રખડતાં રાણીને સાતમા દિવસે કેઢ નીકળે, તેના દુઃખે પીડાતી મરીને છઠી નરકે ઉત્પન્ન થઈ. ત્યાંથી મરીને તિર્યંચમાં ઉત્પન્ન થઈ. વળી નરકમાં ઉત્પન્ન થઈ. એમ સાતે નરકમાં અનુક્રમે ઉત્પન્ન થઈને દુઃખ ભેળવીને સાપણી, કૂકડી, ગિરોલી, ઊંદરી, ચંડાલિણ, રાસાભી વગેરેના અવતાર પામી.
એમ કરતાં કરતાં એક વખત ગાયના ભવમાં મરતી વખત નવકાર સાંભળતાં તમારા ઘેર દુર્ગધાપણે ઉત્પન્ન થઈ છે. દુર્ગધાને જ્ઞાનીનું કથન સાંભળીને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેથી પાછળના ભવ તેણીના જોવામાં આવ્યા.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org