________________
હિણીની કથા
૧૪૩
રાહિણીએ યાગ્ય વરની પસંદગી કરવાથી સ્વજને હર્ષ પામ્યાં. રાજાએ મેાટી ધામધૂમથી તેણીનાં લગ્ન કર્યાં. સ્વયંવરમાં આવેલા બીજા રાજકુમારેાના હાથી, ઘેાડા, વસ્ત્ર, ભજન, તમાલ વગેરેથી સત્કાર કર્યાં.
પછી અશે।કકુમારને પણ સેાના મેતીનાં આભૂષણો વગેરે પહેરામણીમાં આપી, રાહિણી સાથે નાગપુર પહાંચાડો. ત્યાં વીતશેાક રાજાએ પણ નગરમાં શુભલગ્ન પ્રવેશ કરાબ્યા. કેટલાક દિવસ પછી અશેાકકુમારને રાજગાદી સાંપીને, વીતશેક રાજાએ દીક્ષા લીધી. હવે અશેાકરાજાને રહિણી રાણી સાથે સંસારસુખ ભાગવતાં આઠ પુત્રો અને ચાર પુત્રી થઈ.
એક વખત અશોકકુમાર અને રહિણી રાણી ગેાખમાં પુત્રને ખેાળામાં લઈને બેઠા હતા. એવામાં કોઈ સ્ત્રીને મહુ વિલાપ કરતી જોઇને, રાણી અશાકકુમારને પૂછવા લાગી કે આ સ્ત્રી આ પ્રમાણે વિલાપ કેમ કરે છે ? રાજાએ કહ્યુ કે તેના પુત્ર મરણ પામ્યા છે તેથી તે વિલાપ કરે છે. રાણીએ કહ્યુ કે આવું રાવાનું તે કયાંથી શીખી હશે ? રાજાએ કહ્યુ કે તને પણ હું રાવાનું શીખવાડું છું. એમ કહીને, રાજાએ રાણીના ખેાળામાંથી બાળકને લઈ એ હાથવર્ડ ઊંચા કરી ગોખની બહાર નીચે ફેંકી દીધા. તે જોઈ લેાકા કાલાહુલ કરવા લાગ્યા. પરન્તુ રાહિણીના મનમાં કાંઇ પણ દુઃખ ઉત્પન્ન થયું નહિ. પુત્રને પડતાં પડતાં નગરદેવતાએ અદ્ધર ઝીલી લઈને સિંહાસન ઉપર બેસાડયો. તે દેખી સર્વ લાક આનંદ પામ્યાં અને રાજા કહેવા લાગ્યા કે હે રાહિણી ! તું ધન્ય કૃતપુણ્ય છે. જેથી તું દુઃખની વાત પણ જાણતી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International