________________
રોહિણુની કથા
૧૧૩
-પા નગરીમાં શ્રીવાસુપૂજય સ્વામીને પુત્ર મઘવા નામને રાજા રાજય કરતો હતો. તેને લમણા નામની સદાચારી રાણી હતી. તેઓને આઠ પુત્ર ઉપર એક રેહિણી નામની પુત્રી હતી. આ પુત્રી માતાપિતાને બહુ જ વહાલી હતી. તે યૌવન અવસ્થાને પ્રાપ્ત થઈ, તે વખતે રાજાએ તેણીના માટે સ્વયંવર મંડપ રચા. ચારે દિશાઓના રાજકુમારને સ્વયંવરમાં આવવા માટે આમંત્રણ મેકલવામાં આવ્યા. સર્વ રાજકુમારે સ્વયંવર મંડપમાં આવીને બેઠા.
રાજપુત્રી સહિણી પણ સ્નાન વિલેપન કરી, ક્ષીરેદક શ્વેત વસ્ત્રો પહેરીને, હીરા, મોતી, માણેક વગેરેના આભૂષણથી અલંકૃત થઈને અસરા જેવી દેખાતી પાલખીમાં બેસીને, સખીઓના સમૂહથી પરવરેલી સ્વયંવર મંડપમાં આવી. ત્યાં દાસીએ જુદા જુદા દેશનાં રાજકુમારોનાં નામ ગોત્ર, ગુણ, બલ વગેરેનું વર્ણન કરી બતાવ્યું. રાજકુમારીએ તે બધા રાજકુમારેમાંથી નાગપુરના વીતશક રાજાના પુત્ર અશોકકુમાર નામના રાજકુમારના ગળામાં વરમાળા પહેરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org