________________
૧૪૧
વીરમની કથા આ વાત કહી, રાજાએ કામદેવશેઠને પકડી મંગાવી, તેનું સર્વસ્વ લૂંટી લીધું અને તેને ગામબહાર કાઢી મૂક્યો.
વિરમ આવાં પાપ કરતા લોકોને ખોટાં કલંક ચડાવતો હતે. એક દિવસે કઈક ક્ષત્રિયે તેને સારી પેઠે માર માર્યો, તેની પીડા ઘણા દિવસ ભેગવીને મરણ પામી તારા ઘેર પુત્રપણે ઉત્પન્ન થયેલ છે. પૂર્વભવમાં પરનિંદા કરવાથી, તથા લોકો પર જૂઠાં કલંક લગાડવાથી, આ ભવમાં તે જનમથી આંધળો અને બહેર થયો છે. એ જીવ હજુ ઘણે સમય સંસારમાં રઝળશે. ગુરુના મુખથી આ વૃત્તાંત સાંભળીને શેઠ અને શેઠાણી ધર્મમાર્ગમાં જોડાયા. આંધળો છોકરો દુઃખ સહન કરીને મરણ પામી દુર્ગતિએ ગયે.
પારકાની નિંદા કરનાર અને ખાટા કલંક ચડાવનાર વીરમની માફક જનમથી જ આંધળા અને બહેરા થાય છે, માટે ડાહ્યા માણસોએ કોઈના ઉપર ખોટા કલંક ચડાવવા નહિ અને કોઈની નિંદા કરવી નહિ. આ કથા આપણને આ બોધ આપે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org